Abtak Media Google News

શ્રી વિરાણી પૌષધશાળા પેલેસ રોડ ખાતે બૃહદ રાજકોટના સ્થાનકવાસી જૈન સંઘોના ઉપક્રમે પૂ. ગૂરૂદેવ શ્રી ધીરજમૂનિ મ.સા.ના વરદ હસ્તે શાસનચંદ્રીકા

પૂ. હીરાબાઈ મ.સ.ના પરિવારમાં મુંબઈ ઘાટકોપરમાં દીક્ષા અંગીકાર કરનાર દીક્ષાર્થી કુ. પલકબેન દોશીનો સન્માન સમારોહ તા.૨૯૦ને રવિવારે સવારે ૮ કલાકે યોજયેલ છે.દીક્ષાર્થીની શોભાયાત્રા શ્રી સૂર્યબેન કાંતીલાલ વિરાણી પ્રેરિત જૈનાચાર્ય પૂ. જશાજીસ્વામી ચોક (કરણપરા ચોક)થી સવારે ૭.૩૦ કલાકે પ્રારંભ થશે.

વિરાણી પૌષધશાળા ખાતે પૂ. સુશાંતમૂનિજી તથા પૂ.હીરાબાઈ મ.સ. પૂ. વનિતાબાઈ મ.સ., પૂ. ભાનુબાઈ મ.સ., પૂ. પ્રભાબાઈ મ.સ., પૂ. વિજયાબાઈ મ.સ., પૂ.જય વિજય મ.સ., પરિવાર અજરામર પરિવાર તથા સમસ્ત સંઘોના ભાવિકોની હાજરીમાં સન્માન કાર્યક્રમ યોજાશે.

ઈશ્ર્વરભાઈ દોશી, પ્રવીણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ તેમજ મોટા સંઘની કમિટી, અન્ય સંઘોના કાર્યકરો જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નશીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.