Abtak Media Google News

માતાજીના આઠમા નોરતે રાજકોટ મહાનગરપાલિકાની મધ્યસ્થ ઝોન કચેરી ખાતે મહાનગરપાલિકાના મહિલા કર્મચારીઓના નાના ભૂલકાઓ માટે કલરવ ઘોડિયાઘર મેયર ડો.પ્રદીપ ડવના વરદ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર, સિટી એન્જીનીયર કોટક, ડેપ્યુટી એન્જિનિયર પટેલિયા તથા મોટી  સંખ્યામાં મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે કે જેનામાં બાળકો નાના હોય અને ઘરે એકલા ન રહી શકતા હોય તેવા મહિલા કર્મચારીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતે બાળકો રહી શકે અને મહિલા કર્મચારીઓ પોતાના બાળકની ચિંતા કર્યા વગર નિયમિત ફરજ બજાવી શકે તેવા આશય સાથે કલરવ ઘોડિયાઘર બનાવવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 300.00 ચો.ફૂટમાં ઘોડીયાઘરનું નિર્માણ કરાયેલ છે, ઘોડિયાઘરમાં બાળકોને વધુ સારી સગવડતા મળે તે માટે પેન્ટ્રી, વોલ પેઈન્ટીંગ, એડ ક્ધડીશન, ફ્રીજ, વોટર કુલર અને રબ્બર ફલોરીંગ મેટ જેવી વિવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.