Abtak Media Google News

હર હર ભોલેના નાદ સાથે નિકળી યાત્રા: સાંસદ નટૂભાઈ પટેલ પણ કાવડયાત્રામાં જોડાયા

મા શારદા મિત્રમંડળ સેલવાસ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું હતુ આ અવસરે મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓએ ભાગ લીધો આમલી સ્થિત ગાયત્રી મંદિરમાં સાંસદ નટૂભાઈ પટેલ, નગરપાલીકા અધ્યક્ષ રાકેશ સિંહ ચૌહાણ, ઉપાધ્યક્ષ અજયભાઈ દેસાઈએ ગાયત્રી મંદિર માં શિવભગવાનની પૂજા કરી, સાંસદ નટુભાઈ પટેલ અને અન્ય અતિથિઓએ કાવડ લઈને કાવડયાત્રીઓ સાથે ચાલ્યા જેથી કાવડયાત્રીઓનો ઉત્સાહ વધી ગયો અને બોલબમના નારા સાથે પરિસર ગૂંજી ઉઠ્યું. સેલવાસના કિલવાણી નાકા પર મહાકાલેશ્ર્વર મિત્ર મંડળ દ્વારા પુષ્પગુચ્છ અને હાર પહેરાવી સાંસદ તેમજ કાવડયાત્રીઓનું સ્વાગત કરાયું. આ કાવડયાત્રા આમલી વિસ્તારનાં ગાયત્રી મંદિરથી શરૂ થઈ બિંદ્રાબીન મંદિર જશે.

જયાંથી જળ ભરીને કાવડયાત્રી લવાડા વિસ્તારમાં આવેલા રામેશ્ર્વર શિવમંદિરમાં જલાભિષેક કરશે આ શુભ અવસર પર માં શારદા મિત્ર મંડળના મહારાજ શારદા તિવારી, ઉત્તર ભારતીય સમાજના આર.બી. સિંહ, શૈલેષન્દ્ર સિંહા, વિરેન યાદવ, વ્યાપારી મંડળના શાંતુભાઈ પુજારી, સુનિલ મહાજન અને અન્ય વેપારી અને મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ ઉપસ્થિત રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.