Abtak Media Google News

વિસાવદર વિધાનસભામાં કાલે આમ આદમી પાર્ટીની એક વિશાળ જનસભા યોજાશે.જેમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી પણ  હાજર રહેશે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે આ અંગે  જણાવ્યું હતું કે, વિસાવદર વિધાનસભામાં 13 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગે આમ આદમી પાર્ટીની એક વિશાળ જનસભા થવા જઈ રહી છે.

ઈશુંદાન ગઢવી અને રેશ્મા પટેલ વિસવાદરની જનતાને સંબોધિત કરશે

આ જનસભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી હાજર રહેશે. તો હાલ અમે સમગ્ર વિસ્તારમાં પગપાળા કરીને અને પત્રિકા વિતરણ કરીને આ જનસભાનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છીએ અને લોકોને આમંત્રિત કરી રહ્યા છીએ.વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર ખૂબ જ મોટો વિશ્વાસ મૂક્યો હતો અને આ વિશ્વાસનો દ્રોહ કરનાર અને ભાજપમાં ભળી જનાર લોકોને જનતાએ એક જવાબ દેવાનો છે.

આમ આદમી પાર્ટીથી ડરીને ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય ખરીદવાની નીતિ રાખી છે, જેનો વિસાવદરની જનતા જવાબ આપશે અને વિસાવદરમાં ફક્ત ઝાડું જ ચાલશે. આવનારા સમયમાં પણ વિસાવદરમાં જનતા ફક્ત આમ આદમી પાર્ટીને જ આવકાર આપશે. તો હાલ આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ લોક સંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે અને લોકોના પ્રશ્નોને પણ સાંભળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.