Abtak Media Google News

સમાજ સેવામાં સદા અગ્રેસર માધવ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દતક લેવાયેલ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનની ચાણકય પ્રાથમિક શાળા નં.૫૬ના બાળકોને પોરબંદર, વિરપુર (જલારામ) મુકામે માધવ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શાળાના સંયુકત ઉપક્રમે શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. આ શૈક્ષણિક પ્રવાસમાં બાળકોમાં સાંસ્કૃતિ વિરાસત, ઈતિહાસની સમજ અને પર્યાવરણની તથા નૈસર્ગીક સમજની કેળવણી થાય એ હેતુથી યોજવામાં આવેલ હતો.

Advertisement

શૈક્ષણિક પ્રવાસમાં બાળકોએ નિજાનંદીય અનુભુતિ કરી હતી. બાળકોએ ખુબ જ મોજ-મસ્તી અને રમત-ગમતનો પણ લાભ લીધો હતો. માધવ ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી લાલભાઈ પોપટના સીધા માર્ગદર્શન હેઠળ દક્ષાબેન પોપટ, નિધી પોપટ, કમલેશભાઈ કેસરીયા, મીરાબેન કોઠારી, અરૂણાબેન વારા, જયોત્સનાબેન પરમાર, માધવ ચગ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી પ્રવાસને સફળ બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.