Abtak Media Google News

સુરેન્દ્રનગર અમદાવાદ કરછ હાઈવે પર આઈશર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. ગાડીમાં સવાર લોકો હળવદ તાલુકાના હોવાનું સામે આવ્યુ છે. તેઓ ધ્રાંગધ્રાના એક ગામમાં પ્રસંગ પતાવીને ઘરે ફરી રહ્યા હતા. આ અકસ્માતની જાણ પરિવારને થતા શોકનો માહોલ છવાઇ ગયો છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ધ્રાંગધ્રા બાયપાસ કુડા ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

આ સાથે અન્ય ત્રણ લોકો સારવાર હેઠળ છે. તેમને અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. તેમની પણ હાલત હાલ ગંભીર છે તેમ જણાવવામાં આવ્યુ છે.ધ્રાંગધ્રાના એક ગામમાં પ્રસંગ હતો જ્યાં હળવદ તાલુકાના ગામના પરિવારના આ સભ્યો પ્રસંગ પતાવીને પરત આવી રહ્યા હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

મૃતકના નામ – કાનજીભાઈ ભૂપતભાઈ 17 વર્ષ, ઉમેશભાઈ જગદીશ ભાઈ 15 વર્ષ, કરશનભાઈ ભરતભાઈ 24 વર્ષ, કિરણભાઈ મનુભાઈ સુરેલા 17 વર્ષ (રહે. તમામ ગોલાસણ ગામ તાલુકો હળવદ) સારવાર હેઠળ લોકોના નામ – અમીતભાઈ જગદીશભાઈ, કાનાભાઈ રાયધનભાઈ સુરેલા, સુરેશભાઈ શંભુભાઈ ધામેચા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.