Abtak Media Google News

ગુરુ પ્રસાદ ચોકમાં યુવકે વખ ઘોળ્યું: સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

શહેરમાં આજીડેમ ચોકડી પાસે માનસરોવર નજીક આવેલા રામપાર્કમાં રહેતા દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ને ઝઘડો થતા પરિણીતાએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે બીજી તરફ ગુરુ પ્રસાદ ચોક પાસે આવેલા આવાસ ક્વાટરમાં યુવાને વખ ઘોળ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે માનસરોવર નજીક આવેલા રામપાર્કમાં રહેતા કિંજલબેન જયંતભાઈ નારીગરા નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કિંજલબેનને પોતાના માવતરે જવાનું હતું. પરંતુ પુત્રને સાથે લઈ જવા મુદ્દે દંપતી વચ્ચે રકઝક થતા તેણીને લાગી આવતા ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગુરુ પ્રસાદ ચોકમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા ભરત પ્રવીણભાઈ મારડિયા નામનો 28 વર્ષનો યુવાન રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે કોઈ અગમ્ય કારણસર તેને ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.