Abtak Media Google News

બાબા રામદેવની દવા કોરોનિલ ટેબલેટ અંગે મહારાષ્ટ્ર સરકારે પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા રાજસ્થાન સરકારે પણ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, કોરોનિલના ક્લીનિકલ ટ્રાયલ અંગે હજુ સુધી કોઈ ઠોસ માહિતી મળી શકી નથી. એવામાં મહારાષ્ટ્રમાં દવાના વેચાણ પર પ્રતિબંધ રહેશે.

Advertisement

આ પહેલા મંગળવારે ડેપ્યુટી સીએમ અજીત પવારે કહ્યું હતું કે, જેણે વિશ્વાસ હોય એ જ આ દવાનું સેવન કરે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ગુરુવારે ટ્વિટર પર લખ્યું કે, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જયપુર પતંજલિના ‘કોરોનિલ’નું ટ્રાયલ કરાયો હતો કે નહીં તે અંગે તપાસ કરશે. અમે બાબા રામદેવને ચેતવણી આપીએ છીએ કે અમારી સરકાર મહારાષ્ટ્રમાં નકલી દવાઓના વેચાણની મંજૂરી નહીં આપે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.