નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નવી વીએસ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેમણે શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો અને વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.પીએમએ કહ્યું કે SVP હોસ્પિટલથી સમગ્ર ગુજરાતના લોકોને લાભ મળશે. SVP હોસ્પિટલ હેલિપેડ ધરાવતી દેશની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે. અહિંયા પેપરલેસ કામગીરી થશે. ઉદ્ધાટન પહેલા પીએમ મોદીએ હોસ્પિટલની છત પર જાતે નિરિક્ષણ કર્યું હતું.આ પહેલા જનરલ વોર્ડ, ઓપરેશન થિયટેરની અત્યાધુનિક સેવાઓનું પણ નરેન્દ્ર મોદીએ નિરિક્ષણ કર્યું હતું.2 લાખ ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલો દેશના સૌથી મોટા ટ્રેડ શોનો પ્રારંભ કરાયો હતો. ટ્રેડ શોમાં 1200 સ્ટોલ છે.પ્રથમવાર યોજાનાર બાયર-સેલર્સ મીટમાં દેશ-વિદેશના 1500 બાયર- સેલર ભાગ લઇ રહ્યા છે. જેમની વચ્ચે 10,000 જેટલી બેઠકો યોજાશે. જેમાં 2,000 કરોડથી વધુનો વ્યાપાર થવાની શક્યતા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી