Abtak Media Google News

અબતક,રાજકોટ

અમદાવાદના ઘાટલોડિયા  વિસ્તારના પારસમણી  સોસાયટીમાં વૃધ્ધ દંપતીની  સમીસાંજે  થયેલી હત્યાનો ભેદ ઉકેલવા ઘાટલોડીયા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની જુદીજુદી પાંચ ટીમો દ્વારા  તપાસનો શરૂ કરાયેલા  ધમધમાટમાં હત્યા લૂંટના ઈરાદે નહી પરંતુ હત્યા પાછળ  અન્ય કોઈ કારણ હોવાનું બહાર આવતા મૃતક  વૃધ્ધ દંપતિ સાથષ રહેતી પૌત્રીને  પોલીસે   શંકાના   દાયરામાં રાખી તેણીના મોબાઈલ  કોલ ડિટેઈલ મેળવ્યા છે.  આ ઉપરાંત  પોલીસને  સીસીટીવી  મળી આવતા  પોલીસની  ટેકનીકલ ટીમ  દ્વારા આ દિશામાં  છાનભીન ચાલુ કરાઈ છે.દિવાળી ટાંકણે જે સિનિયર સિટીઝન દંપતિન સમી સાંજે હત્યા કરાયાની ઘટનાથી ચકચાર મચી છે. રન્ના પાર્ક પાસેના પારસમણી ફ્લેટમાં ત્રીજા માળે રહેતા 90 વર્ષના દયાનંદ શાનબાગ અને તેમના પત્ની વિજ્યાલક્ષ્મી (ઉ.વ. 80)ની ગળાં કાપીને હત્યા કરી નાંખવામાં આવી હતી.

પૌત્રી ઘરેથી નીકળ્યાના અડધા કલાકમાં દાદા-દાદીની હત્યા થતા પૌત્રીના
મોબાઈલની પોલીસે કોલ ડીટેઈલ મેળવી: હત્યારાના સીસીટીવી ફૂટેજ મળ્યા

પાડોશીને જાણ થતાં સાંજે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરવામાં આવ્યો તે પછી પોલીસની ટીમો દોડી ગઈ હતી. પૌત્રી બહાર ગઈ તે દરમિયાન જ લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાથી જાણભેદૂની સંડોવણી હોવાની આશંકા વચ્ચે ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમો કામે લગાવાઈ છે.

ઘાટલોડિયાના  આવેલા પારસમણી ફ્લેટમાં સિનિયર સિટિઝન દંપતિની હત્યા થઈ છે. પારસમણી એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતા 90 વર્ષના દયાનંદ સુબરાવ શાનબાગ અને તેમના પત્ની વિજ્યાલક્ષ્મીબહેન (ઉ.વ. 80)ની હત્યા કરાઈ હોવાની જાણ તેમના પુત્રએ જ પોલીસને કરી હતી

અડાલજમાં  રહેતા અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં નોકરી કરતા કિરણભાઈ શાનબાગે એકલા રહેતા તેમના માતા-પિતાને ફોન કર્યા હતા. પરંતુ, લેન્ડલાઈન ફોન નો-રિપ્લાય આવતો હતો. ફોન સતત નો-રિપ્લાય આવતાં આખરે કિરણભાઈએ પાડોશમાં રહેતા મહિલાને ફોન કર્યો હતો અને તપાસ કરવા જાણ કરી હતી. પાડોશી મહિલા દયાનંદભાઈના ફ્લેટ પર પહોંચ્યા તો દરવાજો ખૂલ્લો હતો.ત્રીજા માળે ફ્લેટમાં જઈને જોયું તો બેડ ઉપર દયાનંદભાઈ લોહિલોહાણ હાલતમાં પડયા હતા.

જ્યારે, તેમના પત્ની વિજ્યાલક્ષ્મીબહેનનો લોહીથી લથપથ મૃતદેહ ખુરશીમાં હતો. માતા-પિતાની આ સિૃથતિ જોઈ પુત્ર કિરણભાઈ તરત જ રન્ના પાર્ક ખાતેના તેમના ફ્લેટ પર પહોંચ્યા હતા. કેતનભાઈએ આવીને તરત જ પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કરી હતી. પ્રાથમિક વિગતો મુજબ, 90 વર્ષના દયાનંદભાઈ ઓએનજીસીમાં ફરજ બજાવતા હતા અને નિવૃત્તિ પછી એપાર્ટમેન્ટમાં જ રહે છે. તેમનો એક પુત્ર કેતન અડાલજ ખાતે રહે છે. જ્યારે, બીજો પુત્ર ચેતન થોડા સમય પહેલાં મૃત્યુ પામ્યો હતો.

પોલીસને ગેરમાર્ગે  દોરવા હત્યારાઓએ તિજોરીના દરવાજા ખોલી લૂંટના
ઈરાદે હત્યા થયાની એલીબી ઉભી કરી: ક્રાઈમની પાંચ ટીમ દ્વારા તપાસ

દયાનંદભાઈના પુત્ર કિરણભાઈની પૌત્રી રીટાબહેન (ઉ.વ. 19) સાંજે સાડા પાંચ વાગ્યે બહાર ગયા હતા. આ પછી દંપતિ એકલું હતું ત્યારે બન્નેની ગળામાં તિક્ષ્ણ હિથયારના ઘા ઝીંકી ગળાં કાપી ક્રૂરતાપૂર્ણ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. સાંજે છથી સાતના સમયગાળામાં હત્યા થઈ હોવાનું અને પોલીસને 8-02 વાગ્યે જાણ કરાયાની વિગતો ખૂલી રહી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે, દયાનંદભાઈ અને તેમના પત્ની વિજ્યાલક્ષ્મીબહેનના મૃતદેહ મળ્યાં છે તે ફ્લેટમાં તિજોરી ખૂલ્લી મળી આવી છે. આ સંજોગોમાં સિનિયર સિટીઝન દંપતિની હત્યા  તમામ દિશામાં તપાસ કરી વહેલી તકે ગુનો ઉકેલવા પોલીસની ટીમો કાર્યરત છે. દયાનંદભાઈ એપાર્ટમેન્ટના કે બ્લોકના ત્રીજા માળે રહેતા હતા. એપાર્ટમેન્ટમાં સીસીટીવી છે અને અવરજવર કરનાર વ્યક્તિને કોઈએ જોયા હોય તેવી શક્યા વધુ છે.

પોલીસની ટીમો કામે લાગી છે. દિવાળીના દિવસોમાં જ ઢળતી સાંજે ઘાટલોડિયાના રન્ના પાર્ક જેવા પોશ વિસ્તારમાં સિનિયર સિટીઝન દંપતિની હત્યાની ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો સૃથળ પર દોડી ગઈ છે. એપાર્ટેમન્ટમાં સીસીટીવી હોવાથી ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલાઈ જવાની પોલીસને આશા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં દયાનંદભાઈ અને વિજ્યાલક્ષ્મીબહેન જમવાનું મગાવવા ઉપરાંત દવાઓ પણ ઓનલાઈન મગાવવામાં આવતી હતી. આ સંજોગોમાં જાણભેદૂએ આયોજનપૂર્ક જ હત્યા કરાયાની શંકા મજબૂત બની રહી છે.

90 વર્ષના દયાનંદભાઈનો મૃતદેહ પલંગમાં હતો પત્ની વિજ્યાલક્ષ્મીબહેનને ખુરશીમાં રહેંસી નાંખ્યા

દયાનંદભાઈ ફોન ઉપાડતા ન હોવાથી પુત્રએ પાડોશીને ફોન કર્યો હતો. પાડોશી મહિલા ફ્લેટમાં ગયા તો દયાનંદભાઈનો મૃતદેહ પલંગમાં પડયો હતો. જ્યારે, તેમના પત્ની વિજ્યાલક્ષ્મીબહેનનો ખુરશીમાં જ મૃત હાલતમાં મળ્યાં હતાં. આ સંજોગોમાં આયોજનબધૃધ લૂંટ અને હત્યા આૃથવા તો હત્યા કરી લૂંટની એલીબી ઉભી કરવામાં આવી હોવાની શંકા પણ સેવાય છે.

 વિડિયો કોલથી જોયા પછી હત્યાની જાણ થઈ

ઘાટલોડિયાના રન્ના પાર્ક પાસેના પારસમણી ફ્લેટમાં રહેતા દયાનંદભાઈના પુત્ર કિરણભાઈ અડાલજ ખાતે રહે છે. તેમની પુત્રી રીટાબહેન દાદા-દાદી પાસે રહેતી હતી. પૌત્રી રીટા સાંજે બહાર ગઈ પછી કોઈ જાણભેદૂ લૂંટના ઈરાદે ઘૂસ્યા હતા. સાંજે કોઈ દવાવાળો આવ્યા પછી દરવાજો ન ખોલતાં કિરણભાઈએ પાડોશીનો કહેતા વિડિયો કોલથી જોયું ત્યારે હત્યા થયાની જાણ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.