Abtak Media Google News

જામજોધપૂર તાલુકાનાં શેઠ વદળા ગામમાં પોલિસ સ્ટેશન નજીક એક મેટાડોર ની તલાશી લેતા અંદર દોરડાથી ખીચોખીચ બાંધીને રાખવામા આવેલા 6 પશુઓ મળી આવ્યા હતા. આથી કતલના ઇરાદે પશુઓની હેરફેરી કરવા જતા બે વ્યક્તિઓનો અંદર કર્યા આ ઉપરાંત 2.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. તેમજ પરમિટ કે આધાર વગર પશુઓને કતલના ઇરાદે લઈજતા ઇકબાલ સીદીક ભાઈ લાખાણી ( રે.ધોરાજી ) અને મુસાભાઈ ઇસ્માઇલ ભાઈ ચૌહાણ ( રે.બાહરપુર, ધોરાજી ) ને પકડી ને અધિનિયમોની જુદી જુદી કલમ અનુસાર કાર્યવાહી હાથધરી તેમજ મુક્ત કરવેલા તમામ છ પશુઓ ને પાંજરાપોળ માં સોપવામાં આવયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.