Abtak Media Google News

કાશ્મીર સરહદેથી બીએસએફને ૧૭૦ મીટર લાંબી ટનલ મળી આવી

પાકિસ્તાન દ્વારા આતંકીઓને મદદ કરવામાં આવી રહી છે તે જગ જાહેર છે. આતંકીઓ દ્વારા એનકેન પ્રકારે ભારતની બોર્ડેરમાં આવી લોકોને હેરાન કરતા હોય છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા અવારનવાર હુમલાઓ કરવામાં આવતા હોય છે. ત્યારે ઘણી વાર ભારતીય સૈન્યના કાફલા પર હુમલો કરવામાં આવતો હોય છે. પાકિસ્તાન દ્વારા અવાર નવાર નાપાક હરકતો કરવામાં આવતી હોય છે. જેના કારણે ભારતની શાંતિ ડોળતી હોય છે. ત્યારે પાકિસ્તાન દ્વારા વધુ એક વખત નાપાક હરકત કરવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા  ભારત પાકિસ્તાનની સરહદ પર અંડર ગ્રાઉન્ડ ટનલ બનાવી તેમાં આતંકીઓ અને હથિયારની હેરફેર કરવાનો પ્રયોજન કર્યું હતું.

જનરલ દિલબાગસિંઘે બોવરે જણાવ્યું હતું કે, એન્ટિ-ઇન્ફિટેશન ગ્રિડલા એક્ટિવ અને ટનલ વિરોધી કામગીરી પાકિસ્તાન દ્વારા કારવામાં આવી હોવોનું સામે આવ્યું છે. “આતંકવાદને આગળ વધારવા માટે આ બાજુ આતંકવાદીઓની લલચાવવાની સુવિધા આપવા માટે પાકિસ્તાનના આતનકીઓ દ્વારા લાલચાવવામાં આવે છે. બોર્ડેરની ફેન્સીંગ નજીક બીએસએફની ટીમેને ૧૭૦ મીટર લાંબી અને ૨૦ થી ૨૫ ફૂટ ઊંચી એક ટરનલ  મળી હતી. આ વિશાળ ટર્નલ ના માધ્યમથી પાકિસ્તાન દ્વારા આતંકીઓને ભારતમાં મોકલવાની તેમજ હથિયારો મોકલવામાં આવતા હકવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓ દ્વારા ઓ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ હજુ બીજી આવી ટટર્નલ ની શોધ ખોળ બોર્ડર પાસેથી કરવામાં આવી રહી છે. જોકે આ વર્ષ દરમીયાન અનેક આતંકીઓને કાશ્મીરમાં એન્કાઉન્ટર કરીને મારી દેવામાં આવ્યા છે. હાલ કાશ્મીરમાં કોઈ આતનકીઓ ન હીવાનું પણ જણાવાય રહ્યું છે. તાજેતરમાજ બોર્ડર પોલીસ દ્વારા એક ટ્રક માંથી એમ ૧૬ જેવા હથિયારો પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ કાશ્મીરમાં હથિયારોની હેરફેર કરતા બે સ્થળોને શોધી ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ સિંઘ દ્વારા એ પણ સંભાવના દરસાવવામાં આવી હતી કે આવર્ષે થયેલા મિલેટરી પરના આત્મઘાતી હુમલામાં આ જગ્યાનો ઉપયોગ થયો હોય શકે છે. સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે બોર્ડર ને મજબૂત કરવા માટે અમારા દ્વારા સંપૂર્ણ કાર્ય વહી કરવામાં આવી ચૂકી છે.

આઇબી ના અધિમારીઓ દ્વારા કશ્મીર ની મુલાકાત દરમિયાન સિક્યુરિટી ને ધ્યાને રાખી પોલીસ અને બીએસએફને જરૂરી સુચનો પણ આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.