Abtak Media Google News

સિનિયર જજ કુરેશીને ચીફ જસ્ટીસ ન બનાવાતા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટસ એસો.એ કરેલી અરજીને દાખલ કરતા સીજેઆઈ ગોગોઈની બેન્ચે ન્યાય પ્રણાલીમાં રાજકીય ચંચુપાત સામે નારાજગી દર્શાવી

ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે ફરજ બજાવી ચૂકેલા અકીલ કુરેશી સહિતના જજોની નિમણૂંક અને બદલીમાં તાં રાજકીય ચંચુપાત સામે સુપ્રીમ કોર્ટે આકરૂ વલણ અપનાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટસ એસોશીએશન દ્વારા જજ અકીલ કુરેશીને સિનિયર જજ હોવા છતાં ચીફ જસ્ટીસ ન બનાવાતા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી રીટની સુનાવણી દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઈની બેન્ચે આ મુદ્દે ઠપકો આપતા ચકચાર મચી જવા પામી છે. જેથી આ મુદ્દે કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ આમને સામને આવી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

અદાલતી નિમણૂકો અને તબદિલીઓમાંના ચંચુપાત સામે સુપ્રીમ કોર્ટ સર્વસામાન્ય ઠપકો આપતાં જણાવ્યુ હતું કે આવી દખલ આ સંસ્થા માટે શોભાસ્પદ નથી. જસ્ટીસ એ.એ.કુરેશીની સૂચિત નિયુકિત સંબંધે ગુજરાત હાઈ કોર્ટ એડવોકેટ્સ એસો.એ નોંધાવેલી અરજી પરથી દેશના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) રંજન ગોગોઈના વડપણવાળી બેન્ચે આ ઠપકો આપ્યો હતો. સીજેઆઈએ તેમના આદેશમાં નોંધ કરી હતી કે અદાલતી નિમણૂકો, તબદિલીઓ વગેરે ન્યાયના વહીવટીતંત્રના મૂળમાં જતી હોય છે. અદાલતી સમીક્ષા કડકપણે નિયંત્રિત હોય છે.

જસ્ટીસ કુરેશીની મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટીસ તરીકેની ટ્રાન્સફર કરવાના ગઈ તા. ૧૦મી મેના પોતાના આદેશને ફેરવવા બદલ અને તેને બદલે તેમને ત્રિપુરાની હાઈ કોર્ટમાં ખસેડવા સબબ સુપ્રીમ કોર્ટની કોલેજીયમની તીવ્રપણે જાહેર આલોચના થઈ રહી છે. જસ્ટીસ કુરેશી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જસ્ટીસ તરીકે કાર્યભાર સંભાળે છે તે અંગે કેટલાક માસના મૌન બાદ સરકારે તે અંગે નારાજગી વ્યકત કરતા તા. ૨૩ અને ૨૭ ઓગસ્ટના ઉપરાઉપરી આવેલા બે પત્ર બાદ કોલેજીયમે તેનો નિર્ણય ફેરવ્યો હતો.

જસ્ટીસ વિજયા કે. તહિલરામાણીએ, કોલેજીયમે સૂચવેલી મેઘાલય હાઈ કોર્ટમાંની તેમની ટ્રાન્સફરના વિરોધમાં મદ્રાસ હાઈ કોર્ટના ચીફ જસ્ટીસ તરીકે રાજીનામું આપવું પસંદ કર્યુ હતું. મદ્રાસ હાઈ કોર્ટ બારના અનેક સીનિયર ધારાશાત્રીઓએ તેમની ટ્રાન્સફરને દંડાત્મક ગણાવી તેનો વિરોધ કર્યો હતે. અંતે સુપ્રીમ અદાલતે એવું નિવેદન જારી કરવા ફરજ પડી કે તહિલરામાણીની સૂચિત ટ્રાન્સફર ન્યાયના શ્રેષ્ઠ હિતમાં હતી, બલકે તે દરખાસ્ત માટેના કારણો ય જાહેર કરવા અદાલતે ઓફર કરી હતી. આવી આવી ઘટનાઓની પશ્ચાદભૂમાં સીજેઆઈએ નિરીક્ષણો ઉકત આદેશમાં કર્યા હતા.

કેન્દ્રમાં ન્યાય વિભાગ ૨૩ ઓગસ્ટ અને ૨૭ ઓગસ્ટના બે પત્રો સીજેઆઈ ગોગોઈને મળ્યા હતાં. જેમાં કેટલીક સામગ્રી સ્પષ્ટ રીતે ન્યાયમૂર્તિ કુરેશીને  નાની હાઈકોર્ટના ચીફ જસ્ટીસ નિયુક્ત કરવાની દલીલ કરી હતી.

જેથી કોલેજિયમે ૫ સપ્ટેમ્બરના રોજ આ બાબતને ધ્યાનમાં લઈને ન્યાયાધીશ કુરેશીની સૂચિત ગતિવિધિમાં ત્રિપુરા એચસીના મુખ્ય ન્યાયાધીશ તરીકે ફેરફાર કર્યો હતો. હાલના ત્રિપુરા સીજે સંજય કરોલને ઝારખંડ હાઇકોર્ટના સીજે તરીકે નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે. કોલેજિયમે ૫ સપ્ટેમ્બરે નિર્ણય લીધો હોવા છતાં, ૨૧ સપ્ટેમ્બરે સારા ૧૬ દિવસ બાદ જસ્ટિસ કુરેશીને ત્રિપુરાના સીજે તરીકે નિયુક્ત કરવાની ભલામણ સરકારને મોકલવામાં આવી હતી.

સોમવારે સીજેઆઈની આગેવાની હેઠળની ખંડપીઠે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટસ એસોસિએશનના સલાહકાર અરવિંદ દતારને માહિતી આપી હતી કે તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ સરકારને તાજી ભલામણ મોકલવામાં આવી છે. કેસની આગળની ઘટનાઓ જોવા માટે અરજીને પેન્ડિંગ રાખવા દાતરની વિનંતીને એસસી દ્વારા સ્વીકારવામાં આવી હતી. જો કે, ખંડપીઠે ન્યાયાધીશોની નિમણૂક અને બદલી માટેની કોલેજિયમની ભલામણોને લગતી બાબતો પર તેની મર્યાદિત ન્યાયિક સમીક્ષા સત્તાઓ વિશે સંકેત આપ્યો હતો.

ખંડપીઠે કહ્યું, આ તબક્કે, અમે અવલોકન કરવા માંગીએ છીએ કે ન્યાયાધીશોની નિમણૂક, સ્થાનાંતરણ અને પોસ્ટિંગની બાબતો ન્યાયના વહીવટની પ્રણાલીના મૂળમાં જાય છે અને તેથી, ન્યાયિક સમીક્ષાની સત્તાને તેમાંથી નક્કી કરવી પડશે. ઉપરોક્ત દૃષ્ટિકોણ. અમે એ પણ રેકોર્ડ કરવા માંગીએ છીએ કે આવી બાબતોમાં દખલ ન્યાયના વહીવટની પ્રણાલીને અસર કરે છે અને તેથી, તે સંસ્થાને સારી રીતે વધારતી નથી. ઉપરોક્ત અવલોકનો સાથે, સરકાર કોલેજિયમની દરખાસ્ત પર કાર્યવાહી કરે પછી અમે વધુ નોંધણી માટે આ બાબતની સૂચિ રજિસ્ટ્રીને આપીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.