Abtak Media Google News

ભાદરવી પૂનમના દિવસનું જેટલું અંબાજીનું મહત્વ છે એટલું જ શામળાજી નું પણ મહત્વ છે જેને લઈ યાત્રાધામ શામળાજી ખાતે પણ હજારો ભક્તો પદયાત્રા કરી ભગવાન શામળિયાના દર્શન કરે છે ત્યારે અરવલ્લી જિલ્લાના પોલીસકર્મીઓ પણ ફરજ સાથે પદયાત્રામાં જોડાયા હતા.

Screenshot 6 5

આજે ભાદરવી પૂનમ નિમિત્તે હજારો ભક્તો સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માંથી પદયાત્રા કરી યાત્રાધામ શામળાજી ભગવાન ના દર્શન માટે જતા હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પણ તૈનાત હોય છે.

દર પૂર્ણિમા એ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભગવાન કાળિયા ઠાકરના દર્શન માટે ભક્તો આવતા હોય છે એ વખતે પણ પોલીસ બંદોબસ્ત માટે તૈયાર રહે છે. ત્યારે પોલીસને પણ વોકિંગ એટલું જ જરૂરી હોય છે શારીરિક માનસિક શાંતિ માટે ચાલવા જેવી ઉત્તમ કોઈ કસરત નથી જેથી ફરજ પણ સચવાય અને હેલ્થ પણ સચવાય એ હેતુસર જિલ્લા પોલીસ વડાએ અનોખી પહેલ સાથે નાઈટ વોક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.