Abtak Media Google News

વાળંદ જ્ઞાતિના સ્નેહ મિલનમાં ભાજપના ઉમેદવારને મત આપવા લેવાયેલો નિર્ણય: ઉદયભાઈ કાનગડે ઉપલાકાંઠાના વિકાસની હરણફાળને વધુ ગતિ આપવા ખાતરી આપી

શ્રી વાળંદ જ્ઞાતિ સમાજનું ઉપલા કાંઠાનું સ્નેહ મિલન વોર્ડ નં. 4માં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાળંદ જ્ઞાતિ સમાજ રાજકોટ 68ના ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડને મત આપીને જીતાડવા સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બેઠકમા રાજકોટ 68ના ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડે ઉપસ્થિત રહીને સૌનો આભાર માન્યો હતો. અને ઉપલાકાંઠાના હરણફાળ વિકાસને વધુ ગતિ આપવા ખાતરી આપી હતી. આ પ્રસંગે મતદાર વિભાગના ઇન્ચાર્જ કિશોરભાઈ રાઠોડે પણ ઉદયભાઈને જીતાડવા માટે અપીલ કરી હતી.આ બેઠકમાં વાળંદ જ્ઞાતિ મંડળના પ્રમુખ અરવિંદભાઈ સોલંકી, વોર્ડના પ્રભારી દીપકભાઈ પનારા, ઉપપ્રમુખ નાથાભાઈ શીશાંગીયા, રાજ ધામેલીયા, અગ્રણીઓ જગદીશભાઈ ભટ્ટી, બીપીનભાઈ રાઠોડ, ઠાકરશીભાઈ વાઘેલા, મહેન્દ્રભાઈ મારુ, મહેન્દ્રભાઈ બાવળીયા, કલ્પેશભાઈ નાઇ, મુકેશભાઈ નાઇ, વિજયભાઈ બગથરીયા અને મોટી સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.