Abtak Media Google News

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

Vlcsnap 2020 05 08 11H56M27S944

એલ્વીશ ઈલેકટ્રીક ઈન્ડ.ના માલિક રજનીશભાઈ પટેલે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લોકડાઉન પહેલા અમારો બિઝનેસ સંપૂર્ણ રીતે ધમધમતો હતો.

લોકડાઉન પછી મજુરો તથા ટ્રાન્સપોર્ટના મુખ્ય પ્રશ્ર્ન છે. ઉધોગો ચાલુ કરવાની મંજુરી છે પરંતુ સમગ્ર પ્રોડકશન સ્ટોક કરવામાં આવે છે. ફકત શ્રમિકો ફેકટરી ચલાવવામાં આવે છે એ પણ ત્યાં સુધી કે જયાં સુધી રો મટીરીયલ મળે છે. રો-મટીરીયલ અમારી પાસે પાંચ દિવસ ચાલે તેટલું જ છે. બધી જગ્યાનાં ઉધોગો શરૂ કરવાથી જ ઉધોગો ફાયદો થશે. બેન્કો પાસે આશા છે કે હાલ તેઓ સી.સી.નું વ્યાજ તેમજ લોનનું વ્યાજ માફી સાથે ઈલેકટ્રીક પ્રોડકટસના ક્ષેત્રને ફરી બેઠી થતા ૬ મહિના જેટલો સમય લાગશે. ખાસ તો અમારી ફેકટરી ચાલુ છે ત્યારે અમને અહીં આવવા જવાની તકલીફ પડે છે. મજુરો પુરા આવતા નથી રો-મટીરીયલ પુરા પ્રમાણમાં નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.