Abtak Media Google News

એનબીએફસી, એમએસએમઈ અને ઈન્ફાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રમાં વધુને વધુ ભંડોળ ફાળવવાનો કેન્દ્ર સરકારનો ધ્યેય

બજારમાં નાણાની તરલતા લાવવા માટે મોદી સરકારે પગલા લીધા છે. જેના પરિણામો લાંબાગાળે સકારાત્મક આવે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. બજારોમાં નાણાની તરલતા લાવવા માટે બેંકો દ્વારા એનબીએફસી સહિતના ક્ષેત્રમાં રૂ.૪.૯ લાખ કરોડ જેટલી મસમોટી રકમ માત્ર ૨ મહિના જેટલા ટૂંકાગાળામાં ઠાલવવામાં આવી છે.

મળતી વિગતો મુજબ પબ્લિક સેકટર બેંકો દ્વારા તહેવારોના મહિના ઓકટોબર અને નવેમ્બરમાં રૂ.૪.૯૧ લાખ કરોડ ફાળવણી બજારમાં થઈ હતી. મોટાભાગનું લક્ષ્ય એમએસએમઈ અને એનબીએફસી ક્ષેત્ર રહ્યું હતું. આ ઉપરાંત કોર્પોરેટ, રિટેઈલ અને એગ્રીકલ્ચર સેકટરના બોરોવર્સને પણ કોઈપણ જાતની અગવડતા ન પડે તે રીતે નાણાની અપાયા હતા. બજારમાં જેમ બને તેમ વધુ પ્રમાણમાં નાણા ઠાલવીને તરલતા લાવવાનો પ્રયાસ યો છે.

એક તરફ વ્યાજદરમાં ઘટાડો થવા પામ્યો છે. જેનાથી બેંકોને વધુને વધુ નાણા બજારમાં આપવાની ફરજ પડી છે. બેંકોએ ઓકટોબર મહિનામાં ૨.૫૨ લાખ કરોડ નવેમ્બર મહિનામાં ૨.૩૯ લાખ કરોડની ફાળવણી કરી હતી. જેનાથી બજારમાં નાણાની તરલતા જળવાશે તેવી અપેક્ષા સરકારને છે.

7537D2F3 3

લાંબા સમયથી ભારતીય ર્અતંત્રમાં મંદી હોવાની વાત વહેતી થઈ હતી. જેના કારણે સરકારે તુરંત પગલા લેવાનું શરૂ કર્યું હતું. જો કે, સરકારનો મુખ્ય ધ્યેય વિદેશી મુડી રોકાણ ભારતમાં વધે તે દિશામાં હતો. પરંતુ માત્ર વિદેશી મુડી રોકાણ જ નહીં પણ સ્થાનિક ક્ષેત્રે કંપનીઓને યોગ્ય પ્રોત્સાહન મળી રહે તે પણ જરૂરી છે. હાલના સમયમાં ટેલીકોમ અને ઉડ્ડયન કંપનીઓ મસમોટી ખોટ ભોગવી રહી છે. આવા સંજોગોમાં વિદેશી મુડી રોકાણ જ નહીં પરંતુ ભારતીય કંપનીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવે તે હિતાવહ છે.

હાલ જીડીપીનો વિકાસદર ૬.૬ ટકા જેટલો નીચે રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે પરંતુ ૨૦૨૧ સુધીમાં ભારતીય અર્થતંત્રની સ્થિતિ વધુ સુધરશે અને અર્થતંત્રના વિકાસની ગતિ વધશે તેવું પણ માનવામાં આવે છે.

સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન અપાતા અર્થતંત્રની તબિયતમાં સુધારાની આશા

વિદેશી મુડી રોકાણના સ્થાને લોકલ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવામાં આવે તેવી ઈચ્છા ઘણા સમયથી ઉદ્યોગપતિઓની હતી. જો કે, કેન્દ્ર સરકારે હવે આ ઈચ્છા પૂર્ણ કરવા કમરકસી છે. સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરાતા અર્થતંત્રની તબીયતમાં સુધારો થશે તેવી આશા ગોલ્ડમેન સાચના નિષ્ણાંતો સેવી રહ્યાં છે. વર્ષ ૨૦૨૧ના નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રનો વિકાસદર ૬.૬ ટકા જેટલો રહેશે. તાજેતરમાં ભારતીય અર્થતંત્રની ગાડી પાટા પરી ખડી ગઈ હોવાનું અર્થશાસ્ત્રીઓ દ્વારા કહેવાયું હતું પરંતુ આગામી સમયમાં ભારતીય અર્થતંત્રની ગાડી ફરીથી પાટા પર ચડી જશે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે. વર્ષ ૨૦૨૦માં ભારતીય ર્અઅર્થતંત્રનો વિકાસદર ૫.૩ ટકાનો રહેશે જ્યારે ૨૦૨૧માં તે વધીને ૬.૬ ટકા સુધી પહોંચી જશે તેવું ગોલ્ડમેનનું માનવું છે. તાજેતરમાં લીધેલા પગલાના કારણે ભારતીય અર્થતંત્રને ૨૦૨૦ સુધીમાં ૧.૬ ટકા ગ્રોનો ફાયદો થશે તેવું પણ કહેવાયું છે. ઘરેલું ઉત્પાદન ક્ષેત્રમાં થોડા સમય માટે મંદી આવ્યા બાદ હવે ફરીથી આ ક્ષેત્રમાં બુમ થશે તેવું પણ અર્થતંત્ર સાથે જોડાયેલા નિષ્ણાંતોનું માનવું છે. તાજેતરમાં અર્થતંત્રમાં વ્યાપેલી સુસ્તી બાદ આરબીઆઈએ રેપોરેટ ઘટાડવાની વાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.