Abtak Media Google News

પૂ.અપૂર્વમુનિ સ્વામી ‘સુખનું સાચું સરનામુ’ વિષય પર પ્રેરક માર્ગદર્શન

પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ૯૮માં જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે

પૂ.પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા વિવિધ સમાજ માટે પ્રેરણા સમારોહના આયોજન થઈ રહ્યાં છે તે અંતર્ગત આજરોજ રાજકોટના સમસ્ત મોચી સમાજ માટે મોચી સમાજ પ્રતિષ્ઠિત પ્રેરણા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમારોહમાં પ્રેરક વિડિયો શો જેવા રસપ્રદ કાર્યક્રમો યોજાશે તેમજ બી.એ.પી.એસ. મંદિરના સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામી ‘સુખનું સાચું સરનામુ’ વિષયક પ્રેરણાત્મક વકતવ્યનો લાભ આપશે.

આ સમારોહમાં આજરોજ ૨૨-૧૦ને સોમવાર રાત્રે ૮;૩૦ કલાકે પ્રમુક સ્વામી સભાગૃહ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સમયસર ઉપસ્થિત રહેવા પૂ.અપૂર્વમુનિ સ્વામીએ સમસ્ત મોચી સમાજને અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.