ભારતીય પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જયારે મથુરાથી ગોકુળ અને ત્યાંથી વૃંદાવન આવે ત્યારે શ્રી કૃષ્ણ રાધાને હિંડોળે ઝુલાવતા હતા ત્યારથી આ પ્રાચીન પરંપરા આજદિન સુધી ‘હિંડોળા ઉત્સવ’ તરીકે ઉજવાય છે. વૈશાખ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી આ ઉત્સવ મનાવવામાં આવે છે. સ્વામીનારાયણ પરંપરામાં હિંડોળા ઉત્સવનું ખૂબ જ મહત્વ છે. હિડોળા ઉત્સવનો પ્રારંભ થઇ ચૂકયો છે. ત્યારે શહેરના ભૂપેન્દ્રરોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે તેમજ હવેલી ખાતે કલાત્મક હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભુપેન્દ્ર રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદીરના રાધા રમણ સ્વામીએ અબતક મીડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે ભારતીય સંસ્કૃતીમાં ભગવાન શ્રી કૃષ્ણ જયારે મથુરાથી ગોકુળ અને ત્યાંથી શ્રી કૃષ્ણ રાધાને હીડોળે જુલાવે છે ત્યારથીઆ પરપરા ચાલતી આવી રહી છે. સ્વામી નારાયણ સંપ્રદાયમાં સ્વામીનારાયણ ભગવાન જયારે વડતાલમા પઘારે છે ત્યારે અસંખ્ય ભકતો દ્વારા પોતાના ભાવને પૂર્ણ કરવા માટે વડતાલમા આવેલ ૧૨ દરવાજાનો હીંડોળો છે ત્યાં સ્વામીનારાયણ ભગવાન બાળ સ્વરૂપે બીરાજી ભકતોને દર્શન આપે છે. આ રીતે જ વૈષ્ણવી પરંપરા અને સ્વામીનારાયણ પરંપરામા હીડોળાનુ ખૂબ મહત્વ છે.
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી