Abtak Media Google News

આહિર આગેવાન પ્રભાતભાઈ કુવાડીયાની 17મી પૂણ્યતીથીએ

ધ ઓરેન્જ કલબના વિશાળ પટાંગણમાં ધર્મમય માહોલ: મહાપ્રસાદ

રાજકોટ આહિર સમાજના મોભી અને ધી ગ્રાન્ડ મુરલીધર હોટેલના સ્થાપક સ્વ. પ્રભાતભાઈ અરજણભાઈ કુવાડીયાની 17મી પૂણ્યતીથી કુવાડીયા પરિવાર દ્વારા શ્રી નાથજીની અષ્ટસમાની ઝાંખી તથા મહાપ્રસાદ સહિતના વિવિધ ધર્મમય કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. પોતાનું સમગ્ર જીવન પરમાર્થે ખર્ચનાર સ્વ. પ્રભાતભાઈ અરજણભાઈ કુવાડીયાની જેમ તેમના દિકરા આહીર સમાજમાં અદકેરું સ્થાન ધરાવતા ધ ગ્રાન્ડ મુરલીધર હોટલના માલિક એભલભાઈ કુવાડીયા પણ પિતાના પગલે પગલે સેવાકીય કાર્યો કરી રહ્યા છે.

જેની સુવાસ ખંઢેરી ગામ સમસ્ત તથા રાજકોટભરમાં ફેલાયેલી છે.જામનગર હાઈવે ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ સામે આવેલા ધ ઓરેન્જ કલબના વિશાળ પાર્ટી  લોન્સમાં શ્રીનાથજીની અષ્ટસમાની ઝાંખી, શ્રી ઠાકોરજી પધાર્યા મારે ઘેરના ભકિતસભર સંગીતમય કાર્યક્રમ દ્વારા  સ્વ. પ્રભાતભાઈ કુવાડીયાને  સમસ્ત કુવાડીયા પરિવાર તથા ઉપસ્થિત સૌ આહીર સમાજના આગેવાનો અને મહેમાનોએ શ્રધ્ધાંજલી આપી હતી.શ્રીનાથજીની ઝાંખી પૂર્વે મહાપ્રસાદનો હજારોએ લાભ લીધો હતો.

આહિર એભલભાઈ પ્રભાતભાઈ, ભાર્ગવભાઈ  એભલભાઈ, યુગભાઈ એભલભાઈ ખંઢેરીવાળા પરિવાર દ્વારા આયોજીત ધર્મોત્સવમાં વિખ્યાત ભગવદ કથાકાર જીગ્નેશ દાદા આશિર્વાદ પાઠવવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાહિત્યકાર સાંઈરામ દવે, રાજકોટ મેયર ડો. પ્રદીપભાઈ ડવ સહિતના આહીર સમાજના આગેવાનો, સંતો-મહંતો તથા મહેમાનોએ બહોળી સંખ્યામાં ધર્મલાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.