Abtak Media Google News

રિક્ષામાં ડઝન એક પેસેન્જર ભરી દેતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો ગોઝારો અકસ્માત

દેવભૂમી દ્વારકા જિલ્લાના જામજોધપુરના ધ્રાફા ગામેથી છકડો રિક્ષા ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે જતાં સમયે રીક્ષા પુલ પરથી નીચે ખબકતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં છે અને અન્ય 8 જેટલા લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તને હાલ જામનગર અને ખંભાળિયા રીફર કરવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતાં પોલીસ જાણ થતાં તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ઘરી હતી.

બનાવવા અંગેની મળતી માહિતી અનુસાર જામજોધપુરના ધ્રાફા ગામેથી ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે છકડા રિક્ષામાં જતાં સમયે રીક્ષા પુલ પરથી નીચે ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકોના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય નવ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા મોતનો આંકડો ત્રણ પણ પહોંચ્યો હતો જ્યારે હાલ ઘણા લોકોની સ્થિતિ ગંભી હોવાનું તબીબ દ્વારા જણાવવામાં આવ્યું છે.

યારે અન્યને વધુ સારવાર માટે જામનગર તથા ખંભાળિયા રીફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, માલવાહક રિક્ષામાં રીક્ષા ની ક્ષમતા કરતા પણ વધુ પેસેન્જર ભરી દેતા તેઓ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આવે અનેક અકસ્માત સર્જાય છે ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકો અકસ્માત નો ભોગ બનતા હોવાની ફરિયાદો હાલ ઉઠવા પામી છે.

મૃતકના નામ

(1) હુશેનભાઈ શાહમહમદભાઈ
(2) ગીતાબેન ભરતભાઈ નનેરા
(3) મુક્તાબેન ધનજીભાઈ નનેરા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.