Abtak Media Google News

દિવસેને દિવસે અકસ્માતોનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે.ત્યારે ભાવનગર જિલ્લામાં 3 મહિનામાં બીજો મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અગાઉ પણ જાનૈયાથી ભરેલી ટ્રક રંઘોળા પાસે નાળામાં ખાબકી હતી જેમાં 26 જાનૈયાના મોત થયા હતા જ્યારે અંદાજે 35ને ઇજા પહોંચી હતી. ત્યારે આજરોજ ભાવનગરમાં બાવલિયારી નજીક ટ્રક પલટી જતાં 19 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે.

આ દૂર્ઘટના ભાવનગર-અમદાવાદ હાઇવે પર બની છે. જેમાં દૂર્ઘટનામાં સિમેન્ટ ભરેલા ટ્રક પર 25 લોકો સવાર હતા. આ ટ્રક બાવલિયારી નજીક પલટી જતાં 19 લોકના મોત થયા છે. ટ્રક પલટી જતા સિમેન્ટની થેલીઓ નીચે દટાઇ જતાં ઘટનાસ્થળે જ 19 લોકોના મોત નિપજયાં છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.