Abtak Media Google News
  • ડો. મનસુખ માંડવિયા અને ચંદુભાઈ શિહોરા 16મીએ પરસોતમ રૂપાલા અને  નીમુબેન બાંમણીયા 16મીએ જયારે ભરત સુતરીયા 18મીએ ફોર્મ ભરશે

ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ત્રીજા તબકકામાં  7મી મેના રોજ મતદાન  યોજાવાનું છે. જેના માટે આગામી  શુક્રવારે જાહેરનામું  પ્રસિધ્ધ  થતાની સાથે જ ઉમેદવારી  ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે.

દરમિયાન સૌરાષ્ટ્રની સાત બેઠકો  પૈકી પાંચ  બેઠકો માટે ભાજપના ઉમેદવાર 15 થી 18 એપ્રીલ  દરમિયાન  ઉમેદવારી ફોર્મ ભરશે. બાકીની બે બેઠકો માટે   આગામી એકાદ બે  દિવસમાં તારીખ જાહેર કરવામાં આવશે.સૌરાષ્ટ્ર ભાજપના  પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે  વધુમાં  જણાવ્યું છે કે ભાજપના ઉમેદવારો સૌરાષ્ટ્રની  4 લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારો 15 થી  18 એપ્રીલ દરમિયાન નામાંકન પત્ર ભરશે.15 એપ્રીલના રોજ 11- પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા તા.15 એપ્રીલના રોજ, 10- રાજકોટ લોકસભા બેઠકના ભાજપના  ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલા તા. 16  એપ્રિલના રોજ, 15-ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર નીમુબેન બાંભણીયા તા. 16 એપ્રિલના રોજ તેમજ 14-અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા તા.18 એપ્રિલના રોજ  તેમનું નામાંક પત્ર ભરશે. 9 સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા આગામી 15 અથવા 16 એપ્રિલના રોજ ફોર્મ ભરે તેવી સંભાવના રહેલી છે. જૂનાગઢ અને જામનગર બેઠક માટે ઉમેદવાર કયારે ફોર્મ ભરશે તેની તારીખ જાહેર  કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.