પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતને એઈમ્સ ફાળવવા બદલ આભાર વ્યકત કરતાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા આરોગ્યલક્ષી અનેકવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. બિમારીમાં મોંઘી દવાથી છુટકારો મળે તે માટે સસ્તી અને ગુણવતાયુકત દવાઓના જેનેરિક મેડિકલ સ્ટોર જન ઔષધી કેન્દ્ર તથા આયુષમાન ભારત યોજનાની સફળ શરૂઆત બાદ હવે ગુજરાતમાં રાજકોટ ખાતે ૧૨૦૦ કરોડના ખર્ચે એઈમ્સ હોસ્પિટલ બનાવવાની મહત્વની જાહેરાત આજે કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડાનો સમગ્ર ગુજરાતની જનતાવતી આભાર માનું છું. વાઘાણીએ જણાવ્યું હતું કે, અદ્યતન સુવિધાથી સજજ એઈમ્સ હોસ્પિટલ બનતા અનેકવિધ જટીલ રોગોની ખર્ચાળ તબીબી સારવાર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને આસાનીથી ઉપલબ્ધ થશે. ગંભીર બિમારીની સારવાર માટે ગુજરાતવાસીઓને હવે નહીં જવુ પડે. ગંભીર બિમારીની સસ્તા દરે હવે ઘર આંગણે જ સારવાર થશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી