Abtak Media Google News

કાલે મહારાષ્ટ્ર, ગોવા, દીવ-દમણ, દાદરા-નગર હવેલી અને ગુજરાત એમ પાંચ રાજ્યોનો સંયુક્ત વર્કશોપ ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાશે

 

Advertisement

સમાજહિત, દેશહિતસહિત જનકલ્યાણકારી અનેક વિષયો સાથે જેવા કે, સફાઇ અભિયાન, જળસંગ્રહ અભિયાન, વૃક્ષારોપણ અભિયાન સહિત સમાજહિતમાં અનેકવિધ સેવાકિય અભિયાનો ભાજપા દ્વારા કરવામાં આવે છે. દેશની એકતા અને અખંડિતતા તેમજ દેશહિતના અભિયાન પણ ભાજપા સતત કરતું હોય છે. તેમ પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫એની કલમ હટાવીને દેશની એકતા અને અખંડિતતા માટે,કશ્મીરની જનતાના કલ્યાણ માટે અને આતંકવાદી અને અલગાવવાદીઓ સામે કડક હાથે કામ લેવા માટે ઐતિહાસિક, શ્રેષ્ઠ અને મજબૂત નિર્ણય લીધો છે ત્યારે દેશની જનતાના મનહદયમાં રહેલી લાગણીના પ્રતિબિંબ માટે ભાજપા દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન – “એક દેશ, એક સંવિધાનના સંદર્ભે દેશમાં એક “જનજાગૃતિ અને સપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર દેશમાં ૩૭૦ સ્થાનો પર જનસભાઓ, સંમેલનો અને રેલીઓ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આ સંદર્ભમાં જનજાગૃતિ અભિયાન અને સંપર્ક અભિયાન એમ, બે પ્રકારની સમિતિની રચના કરવામાં આવી છે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી દ્વારા ભાજપાના જનજાગૃત્તિ અભિયાન માટે પ્રદેશ સંયોજક તરીકે ભાજપાના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા તથા સહસંયોજક તરીકે હર્ષદગીરી ગૌસ્વામીની નિયુક્તિ કરવામા આવી છે તથા ભાજપાના સંપર્ક અભિયાન માટે પ્રદેશ સંયોજક તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ  આઇ.કે.જાડેજા તથા સહસંયોજક તરીકે શ્રી અમિત ઠાકરની નિયુક્તિ કરવામાં આવી છે.

ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, દરેક ઝોનમાં ભાજપાના વર્કશોપ યોજવામાં આવનાર છે ત્યારે આગામી તારીખ ૫ સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી સાંજ સુધી મહારાષ્ટ્ર, ગોવા, દીવ-દમણ, દાદરા-નગર હવેલી અને ગુજરાત એમ, ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા ખાતે ૫ રાજ્યોનો સંયુક્ત વર્કશોપ યોજાશે. આ વર્કશોપમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

ગુજરાતમાં દરેક જીલ્લા કેન્દ્રોમાં રાષ્ટ્રીય એકતા અભિયાનએક દેશ – એક સંવિધાનના વિચાર સાથે સંમેલનો હાથ ધરવામાં આવશે તથા રાષ્ટ્રીય એકતા રેલીઓ યોજવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય તથા પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહેશે ઉપરાંત તાલુકા/જીલ્લામાં અલગ-અલગ ક્ષેત્રમાં યોગદાન આપી રહેલા વિશિષ્ઠ અને પ્રતિષ્ઠિત મહાનુભાવોનો સંપર્ક કરીને કશ્મીર-૩૭૦ અંગેનું સાહિત્ય આપવામાં આવશે.

જનજાગૃતિ અભિયાન સમિતિમાં પ્રદેશ સંયોજક તરીકે પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, સહસંયોજક તરીકે પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગૌસ્વામી,દક્ષિણ ઝોન સંયોજક તરીકે સાંસદ પ્રભુભાઇ વસાવા,મધ્ય ઝોનના સંયોજક તરીકે છોટાઉદેપુર પ્રભારી રાજેશભાઇ પટેલ, ઉત્તર ઝોનના સંયોજક તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ  જયસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્ર ઝોનના સંયોજક તરીકે પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દાસાણીની નિયુક્તિ કરવામાં આવી છે.

સંપર્ક અભિયાન સમિતિમાં પ્રદેશ સંયોજક તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા, સહસંયોજક તરીકે પ્રદેશ મંત્રી અમિતભાઇ ઠાકર, દક્ષિણ ઝોનના સંયોજક તરીકે અન્ન-નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠક, મધ્યઝોનના સંયોજક તરીકે સાંસદ એચ.એસ.પટેલ, ઉત્તરઝોનના સંયોજક તરીકે પૂર્વ સાંસદ અને પૂર્વ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર, સૌરાષ્ટ્ર ઝોનના સંયોજક તરીકે બોટાદ પ્રભારી અમોહભાઇ શાહની નિયુક્તિ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.