કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલ બ્રિજેશ મેરજા આજે પેટા ચૂંટણી જંગમાં વિજેતા જાહેર થયા છે મોરબી પેટા ચૂંટણીની મત ગણતરીઓ પૂર્ણ થઇ ચુકી છે અને ૪૬૪૯ મતોની લીડ સાથે બ્રિજેશ મેરજા વિજેતા બન્યા છે કોંગ્રેસ પક્ષે એડીચોટીનું જોર લગાવ્યા છતાં અપક્ષ ઉમેદવારો તેમજ નોટામાં પડેલા મતોએ બાજી પલટી જીતનો હાર ભાજપના ગળે પહેરાવ્યો હતો. મોરબી પેટા ચૂંટણીમાં ગત તા. ૦૩ ના રોજ મતદાન પૂર્ણ થયા બાદ આજે શહેરની પોલીટેકનીક કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજયી બન્યા છે મત ગણતરીમાં ઉમેદવારોને મળેલા મતોની વાત કરીએ તો કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જેરાજ્ભાઈ પટેલ ને ૬૦,૦૬૨, ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૬૪,૭૧૧ મતો મળ્યા હતા તે ઉપરાંત ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇન્કિલાબ એ મિલત પાર્ટીના ઉમેદવાર ભટ્ટી હુશેનભાઈને ૮૭૦ મતો મળ્યા હતા જયારે અપક્ષ ઉમેદવાર કાસમ સુમરાને ૨૫૯, જાદવ ગીરીશભાઈને ૧૯૧, જેડા અબ્દુલને ૧૬૭, વસંત પરમારને ૬૬૪૯, બલોચ ઈસ્માઈલને ૨૧૦૭, ભીમાણી જ્યોત્સનાબેનને ૫૩૯, મકવાણા પરષોતમભાઈને ૫૧૩ અને મોવર નિજામને ૩૧૬૨ મતો મળ્યા હતા જયારે સિરાજ પોપટિયાને ૧૨૩૬ મતો મળ્યા હતા જયારે ૨૮૮૬ મતો નોટામાં પડ્યા હતા. પ્રતિષ્ઠાનો જંગ બની ચુકેલી મોરબી વિધાનસભા પેટા ચૂંટણીને જીતવા ભાજપે કેન્દ્રીય મંત્રી ઉપરાંત રાજ્યના સીએમ, ડેપ્યુટી સીએમને મેદાને ઉતાર્યા હતા અને આખરે જંગ ભાજપે જીતી લઈને ૨૦૧૭ માં ગુમાવેલી બેઠક પરત મેળવી છે જીત નક્કી થતા બ્રિજેશભાઈ મેરજાએ મત ગણતરી કેન્દ્રથી પોતાના કાર્યાલય સુધી ભવ્ય વિજય સરઘસ યોજ્યું હતું તો સમર્થકોએ ફટાકડા ફોડીને તેમની જીતને વધાવી હતી. કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલે જીત મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું અને કોંગ્રેસ આગેવાનોથી લઈને કાર્યકરો સુધીના એકજુટ થઈને જીત મેળવવા પ્રયાસ કર્યા હતા જોકે અપક્ષ ઉમેદવારો ૧૫,૬૯૩ મતો લઇ ગયા હતા એટલું જ નહિ નોટામાં પણ ૨૮૮૬ મતો પડ્યા હતા જેને જીતની બાજી પલટી નાખી હતી તેમ કહી શકાય. વિજય મેળવ્યા બાદ બ્રિજેશ મેરજાએ પત્રકારો સાથેની વાતચીતમાં આ તેમની નહિ પરંતુ કાર્યકરો અને ભાજપ સંગઠનની જીત હોવાનું જણાવ્યું હતું તો કાંતિલાલ અમૃતિયા ફેક્ટર વિશે પૂછતાં નો કમેન્ટ કહી જવાબ આપવાનું ટાળ્યું હતું.
Trending
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક
- રાજસ્થાનના આ ‘વિચિત્ર’ લગ્નની દેશ-દુનિયામાં થઈ રહી છે ચર્ચા
- હાર્ટ એટેકનો કાળો કહેર: 24 કલાકમાં છ વ્યક્તિને ભરખી ગયો
- રાજકોટ: ધરમનગર ક્વાર્ટરના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત
- રાજ્યભરમાં આજથી ચાર દિવસ હિટવેવની આગાહી