Abtak Media Google News

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબી જિલ્લાની હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના માળીયા તાલુકાના ચમનપર ગામ સાતમી વખત સમરસ થયું છે. આ ગામના સંપના ચારે કોર મુક્ત મને વખાણ થઈ રહ્યા છે.

સમરસ યોજના જાહેર થઈ ત્યારથી અત્યાર સુધી ક્યારેય પણ ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલ નથી એટલે કે 1992 થી ચમનપર ગામ સમરસ ગ્રામ પંચાયત બનતી આવી છે. અને આ વખતે પણ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ગ્રામ જનોના સહિયારા પ્રયાસથી ચમનપર ગામ સાતમી વખત સમરસ બની સરપંચ તરીકે શિતલબેન જયેશભાઈ ચારોલાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.સભ્ય તરીકે વોર્ડ-1 માં પ્રભાબેન બાબુલાલ અઘારા, વોર્ડ-2માં અસ્માબેન અબ્દુલભાઈ લાખાણી, વોર્ડ-3માં અશ્વીનભાઈ પરસોતમભાઈ ભીમાણી, વોર્ડ-4માં નાનજીભાઈ રવજીભાઈ ચારોલા, વોર્ડ-5માં રસીકભાઈ ગોવિંદભાઈ સોલંકી, વોર્ડ-6માં કસ્તુરબેન પ્રભુભાઈ વિલપરા, વોર્ડ-7માં મુક્તાબેન ભગવાનજીભાઈ અઘારા, વોર્ડ-8માં જયેશભાઈ નરસીભાઈ ચારોલાની વરણી કરવામાં આવેલ છે.

ચમનપર ગામમાં સીસી રોડના કામો, સંરક્ષણ દિવાલના કામો, ભુગર્ભ ગટરના કામો, પંચાયત ઘર રીપેરીંગ, પ્રાથમિક શાળામાં પેવરબ્લોકના કામો સહિત છેલ્લા ત્રણ વર્ષમાં 24.49 લાખથી વધુ વિકાસના કામો થયા છે. ઉલ્લેખનીય છે કે માળીયા તાલુકામાં  14 ગામો ચમનપર, લક્ષ્મીવાસ, જાજાસર, ભાવપર, ચીખલી/વરડુસર, વવાણીયા, વિરવદરકા, જસાપર, સોનગઢ/ફતેપર, ખીરસરા, મંદરકી, રાસંગપર, મોટાભેલા અને નવાગામ સમરસ ગ્રામ પંચાયત બનેલ છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.