Abtak Media Google News

ગો.વા.યોગેશ હસમુખભાઈ ડાભીની દ્વિતીય પૂણ્યતિથિ નિમિતે રકતદાન કેમ્પનું આયોજન

રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટ તથા ડાભી પરીવારના આર.એમ.સી. સ્ટાફ ગ્રુપ, મુરલીધર ગ્રુપ રામકૃષ્ણનગર સુર્યપ્રભાત શાખા દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો માટે તા.૧૪/૫ રવિવારે સવારે ૯ થી ૧ વાગ્યે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગો.વા.યોગેશ ડાભીની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટની વાડી ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ તા.૨૧/૫ને રવિવારે સવારે ૯ થી ૧ વાગ્યા સુધી રૈયા રોડની વાડી ખાતે રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિગત આપવા માટે સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ સતીષભાઈ ગોહેલ, ઉપપ્રમુખ રમેશભાઈ હિંગુ, ઉપપ્રમુખ રણજીતભાઈ ગોહિલ, મંત્રી પ્રકાશભાઈ જેઠવા, ખજાનચી નિલેષભાઈ ડાભી, ટ્રસ્ટી સંદીપભાઈ ગોહેલ, અગ્રણી બિજલભાઈ જેઠવા અને અનંતભાઈ ગોહેલે અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.