Abtak Media Google News

દિલ્હી સરકારે આગામી ૬ માસ માટે ૨૦% જેટલો જંત્રી દર ઘટાડવા કર્યો નિર્ણય

કોઈ પણ જમીનના જંત્રીના દરની સીધી અસર ટેક્સ પર પડતી હોય છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર દેશના અર્થતંત્રને ધબકતું રાખવામાં સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. હાલ રેકર્ડ પર રિયલ એસ્ટેટ ક્ષેત્રનું જેટલું ટર્ન ઓવર છે તેની સાથોસાથ બ્લેક કરન્સી ઇકોનોમીનું પણ એટલું જ ટર્ન ઓવર છે. જમીનની વાસ્તવિક કિંમત કરતા હંમેશા જંત્રીના દર ઓછા જ હોય છે. ઘણીવાર જમીન કે મિલકતના સોદામાં ૭૦% ચેક અને ૩૦% રોકડામાં પૈસાની ચુકવણી કરવા જેવી બાબતો કાને ચોંટતી હોય છે જેનો સ્પષ્ટ મતલબ છે કે, ટેક્સથી બચવા મિલકતની વાસ્તવિક કિંમતની સાપેક્ષે જંત્રી દર ઓછો બતાવવામાં આવ્યો હોય છે.

Advertisement

રિયલ એસ્ટેટ ક્ષેત્ર અર્થતંત્રને વેગવંતુ બનવવામાં જેટલો મહત્વપૂર્ણ છે એટલો જ મહત્વપૂર્ણ ફાળો બે નંબરના પૈસાની હેરફેરમાં પણ ભજવે છે. આ બાબતથી તંત્ર પણ વાકેફ છે જેના કારણે આઈ.ટી. ડિપાર્ટમેન્ટની મોટાભાગની રેઇડ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હોય છે. આઈ.ટી.માટે રિયલ એસ્ટેટ ક્ષેત્ર સોફ્ટ ટાર્ગેટ સમાન છે. ત્યારે કેજરીવાલ સરકારે જંત્રી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

કેજરીવાલ સરકારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં સંપત્તિ ખરીદવાનું વિચારતા લોકોને સારા સમાચાર આપ્યા છે.  દિલ્હીની કેજરીવાલ સરકારે જંત્રી દરમાં ૨૦% ઘટાડો કરવાની જાહેરાત કરી છે.  આ દર ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી લાગુ રહેશે.  શુક્રવારે સરકારે તમામ ક્ષેત્રોમાં રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક મિલકતોના જંત્રી દરોમાં ૨૦ ટકાનો ઘટાડો કર્યો છે.  મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હી સરકારના એક અધિકારીએ કહ્યું કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં તમામ વસાહતો અને ક્ષેત્રોમાં રહેણાંક, વ્યાપારી અને  ઔદ્યોગિક સંપત્તિઓને લગતા જંત્રી દરમાં  ૨૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.  દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.  સિસોદિયાએ શુક્રવારે ટ્વીટ કરીને લખ્યું છે કે, દિલ્હીમાં સંપત્તિ ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંપત્તિ પરના જંત્રી દરમાં ૨૦% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે.

અર્થતંત્રમાં સુધારા માટે મહત્વનો નિર્ણય

વાણિજ્યિક મિલકતોમાં સામાન્ય રીતે રહેણાંક સંપત્તિ કરતા વધુ વર્તુળ દર હોય છે.  જો કે, તે મિલકતના પ્રકાર અને વયના આધારે પણ બદલાઈ શકે છે.  માનવામાં આવે છે કે દિલ્હી સરકારના આ નિર્ણયથી રાજધાનીમાં સંપત્તિના ભાવમાં ઘટાડો થશે અને રીઅલ એસ્ટેટ ક્ષેત્રને મોટો ફાયદો થશે.  આ ઉપરાંત શુક્રવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે મેરીટિયર્સ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહિત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.