Abtak Media Google News

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનો ઓલ-રાઉન્ડર કેદાર જાધવ પગના સ્નાયુમાં આવેલી ખેંચના કારણે આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ) સ્પર્ધાની બાકીની મેચોમાં ભાગ લઈ શકશે નહીં.

જાધવને આ ઈજા મુંબઈ ઈન્ડિયન્સ સામેની પહેલી મેચમાં થઈ હતી. કોચ માઈકલ હસીએ કહ્યું હતું કે જાધવ થોડા સમય માટે રમી શકનાર નથી અને તેની બદલીના ખેલાડી માટે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. હસીએ કહ્યું હતું કે જાધવની ગેરહાજરીમાં ટીમને મોટી ખોટ જશે કારણ કે તે અમારો મુખ્ય ખેલાડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીએલના પેહેલા જ મુંબઈ સામે જયારે કેદાર જાધવ ઇજાને કારણે પોતાનો દાવ પડતો મુકવાની ફરાઝ પડી હતી અને છેલ્લે દાવ લેવા આવ્યો ત્યારે છેલ્લી ઓવરમાં 7 રનની જરૂર હતી ત્યારે પેહેલા 3 બોલ ખાલી કાઢ્યા બાદ ચોથા બોલ પર સિક્સર અને પાંચમા બોલ પર ફોર લગાવીને ચેન્નાઈને શાનદાર જીત અપાવી હતી.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.