મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના જન્મદિવસ પ્રસંગે પાલનપુર મુકામે શ્રી પલ્લવીયા પાર્શ્વનાથજી ભગવાનના દેરાસરમાં જઇને ભકિતભાવપૂર્વક દર્શન, આરતી તથા પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે જૈન અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યુ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉપાશ્રયમાં ચાતુર્માસ ગાળી રહેલા પ.પૂજય આચાર્યદેવ રાજતિલક સાગરસુરિશ્વરજી મ.સા.ને મળી મુખ્યમંત્રીશ્રીએ આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસ પ્રસંગે અહિંસા સંઘ, મુંબઇ દ્વારા પૂરગ્રસ્તોને સહાય માટે રૂા. ૧૧,૧૧,૧૧૧/-ના દાનની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસ પ્રસંગે હીર વલ્લભ જૈન ગૃપ પાલનપુર દ્વારા પૂરગ્રસ્તો માટે ૬૧૦ ધાબળા તથા અનાજ-વાસણની ૬૧૦ કીટ ભરેલા ટ્રકને મુખ્યમંત્રીશ્રીના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી