Abtak Media Google News

મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, શ્રમદાન કરીને તા.૨૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૯-૩૦ કલાકે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના તરણેતર ખાતેથી સુજલામ-સુફલામ જળસંગ્રહ યોજનાનો પ્રારંભ કરશે. તરણેતરનું તળાવ એ દર વર્ષે યોજાતા વિશ્વ વિખ્‍યાત તરણેતર મેળાની નજીક આવેલ છે.

આ પ્રસંગે મુખ્‍યમંત્રી રૂપાણીની સાથે જિલ્‍લાના સાંસદ સભ્‍યો, ધારાસભ્‍યો, જિલ્‍લાના પદાધિકારીઓ અને ગ્રામજનો પણ આ કાર્યમાં જોડાશે. અત્રે ઉલ્‍લેખનીય છે કે આ અગાઉ આ ઝુંબેશને વ્‍યાપક સફળતા મળી હતી અને આવતીકાલથી શરૂ થઈ રહેલી આ ઝુંબેશમાં લોકો સ્‍વયંભુ જોડાય તે જોવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.