Abtak Media Google News
  • લઘુમતી સમુદાય ઉપર બળાત્કાર, બળજબરીથી નસબંધી અને ગુમ કરી દેવા સહિતના અત્યાચારો થતા હોવાનો ઘટસ્ફોટ
  • વ્યવસાયિક શૈક્ષણિક તાલીમ કેન્દ્રોમાં મહિલાઓને ગોંધી રાખીને સૃષ્ટિ વિરુધ્ધના કૃત્ય થતા હોવાનો પણ આરોપ

ચીનના શિનજિયાંગમાં મુસ્લિમ અલ્પસંખ્યક મુસ્લિમો સાથે સંબંધિત એક અહેવાલ સામે આવ્યો છે.  યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ મિશેલ બેચેલેટ દ્વારા જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટમાં ઉઈગર સમુદાય પ્રત્યે ચીન સરકારના વલણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  રિપોર્ટ અનુસાર, ચીને આતંકવાદ વિરોધી વ્યૂહરચનાઓના નામે લઘુમતી મુસ્લિમોના માનવાધિકારોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે.  સાથે જ રિપોર્ટમાં તેને ’માનવતા વિરુદ્ધ અપરાધ’ ગણાવ્યો છે.  ખાસ વાત એ છે કે આ રિપોર્ટ તેમના કાર્યકાળના અંતિમ દિવસે બેચેલેટ વતી જાહેર કરવામાં આવ્યો છે.

48 પાનાના અહેવાલ શિનજિયાંગમાં આતંકવાદ અને ઉગ્રવાદ સામેની લડાઈ: સત્ય અને હકીકત, શીર્ષકમાં જણાવ્યું હતું કે ચીનમાં ઉઇગર સમુદાય ઉપર બળાત્કાર, બળજબરીથી નસબંધી અને ગુમ કરી દેવા જેવા અત્યાચારો થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીને સરકારી નીતિઓના નામે આ બધું કર્યું છે.  અહેવાલ મુજબ, કાયદા અને નીતિઓ અંગે ઉઇગર અને અન્ય મુસ્લિમ જૂથોના સભ્યોને અટકાયતમાં રાખવાની મનસ્વી અને ભેદભાવપૂર્ણ હદ આંતરરાષ્ટ્રીય ગુનો હોઈ શકે છે.

રિપોર્ટમાં ’પરિવારથી અલગ થવું, ગાયબ થવું’, ’રોજગાર અને મજૂરીના મુદ્દા’, ’બાળકોને જન્મ આપવાનો અધિકાર’, ’ગોપનીયતાનો અધિકાર અને હિલચાલની સ્વતંત્રતા’, ’ધાર્મિક, સાંસ્કૃતિક, ભાષાકીય ઓળખ અને અભિવ્યક્તિ’નો સમાવેશ થાય છે. અને ’વ્યવસાયિક શૈક્ષણિક તાલીમ કેન્દ્રોમાં પરિસ્થિતિ’ જેવા વિભાગો દ્વારા માનવાધિકારના ઉલ્લંઘનો દર્શાવવામાં આવ્યા છે

રિપોર્ટમાં ખાસ કરીને કહેવાતા વ્યવસાયિક શૈક્ષણિક તાલીમ કેન્દ્રોની અંદર અટકાયત રૂમમાં મહિલાઓ સામે જાતીય અપરાધો અને બળાત્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે વ્યવસાયિક શૈક્ષણિક તાલીમ કેન્દ્રોને ત્રાસની પદ્ધતિઓ અથવા સજા અનુસાર ચિહ્નિત કરવામાં આવ્યા હતા.  રિપોર્ટ અનુસાર, ’કેટલાક લોકોએ બળાત્કારની કેટલીક ઘટનાઓ સહિત વિવિધ પ્રકારના જાતીય અપરાધો વિશે વાત કરી.  જેમાં પૂછપરછના નામે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય અને બળજબરીથી કપડાં ઉતારવા સહિત અન્ય ઘણા ત્રાસ વર્તાવવામાં આવે છે.

ચીન સતત શિનજિયાંગમાં આવા શિબિરોના અસ્તિત્વનો ઇનકાર કર્યો છે.  જો કે, વર્ષ 2017 માં, ચીને આ કહેવાતા તાલીમ શિબિરોને પ્રથમ વખત સ્વીકારી હતી.  હાલમાં, ન તો કેન્દ્રીય કે પ્રાંત અધિકારીઓએ આ કેમ્પમાં કેટલા લોકોને રાખવામાં આવ્યા છે તેનો ખુલાસો કર્યો નથી.  આ સિવાય ચીન પર લગભગ 10 લાખ લોકોને ડિટેન્શન કેમ્પમાં રાખવા, શિનજિયાંગમાં બળજબરીથી મજૂરી કરાવવા, બળજબરીથી ગર્ભપાત કરવાનો પણ આરોપ છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2017 થી 2019 ની વચ્ચે જન્મ દરમાં 48.7 ટકાનો ઘટાડો થયો છે.  કાશગર અને હોટન જેવા ઉઇગર બહુમતી વિસ્તારોમાં પરિસ્થિતિ ખાસ કરીને ખરાબ હતી.  ખાસ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન નસબંધીમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો.

આ તો અમારા વિરોધી દળોએ ઉપજાવી કાઢેલી વાત: ચીનનો લુલો બચાવ

અહેવાલ છે કે ચીન તરફથી આ અહેવાલ પ્રકાશિત ન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.  જો કે, તેને નકારી કાઢવામાં આવ્યો હતો અને બેચલરેટે તેને ઓફિસમાં છેલ્લા દિવસે રિલીઝ કરી હતી.  હવે ચીનનું કહેવું છે કે આ રિપોર્ટ ’ચીન વિરોધી દળો દ્વારા તૈયાર કરવામાં આવેલી ખોટી માહિતી અને જૂઠાણા પર આધારિત છે.’  સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે આ રિપોર્ટ ચીનને બદનામ કરી રહ્યો છે અને તેના દ્વારા ચીનના આંતરિક મામલામાં દખલગીરી કરી રહી છે.

ચીને અહેવાલ પ્રકાશિત થતા રોકવાના ઘણા પ્રયાસો કર્યા

હ્યુમન રાઇટ્સ વોચ ચાઇનાના ડિરેક્ટર સોફી રિચાર્ડસને કહ્યું ચીનની સરકાર તેમના શિનજિયાંગ રિપોર્ટના પ્રકાશનને અવરોધિત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેણે ચીનના અધિકારોના ઉલ્લંઘનને ખુલ્લા પાડ્યા હતા.”’  “યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલે આ રિપોર્ટનો ઉપયોગ ઉઇગર અને અન્ય લોકોને નિશાન બનાવતા ચીન સરકારના માનવતા વિરુદ્ધના ગુનાઓની તપાસ કરવા અને જવાબદારોને શોધવા માટે કરવો જોઈએ,” તેમણે કહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.