Abtak Media Google News

12 વર્ષ પહેલા પ્રેમ લગ્નના  ખાર રાખી

વર્ષ  2016 અમરેલી સેશન્સ કોર્ટે પાંચને સજા ફટકારી ‘તી: વચગાળાના જામીન બાદ ત્રણેય ફરાર થયા ‘તા: બે સામેનો ચૂકાદો પેન્ડીંગ

અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે 12 વર્ષ પહેલા પ્રેમ લગ્નના મામલે  વિપ્ર યુવાનની હત્યાના ચકચારી કેસમાં  અદાલતે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ કર્યો છે વધુ વિગત મુજબ ચિત્તલ ગામે રહેતા રાજેશ્ ઉર્ફે ગટ્ટા પરુષોત્તમ પંડ્યા નામના યુવાનની હત્યા ની ભાણેજ ધર્મેન્દ્ર લાભશંકર મહેતાએ અમરેલી તાલુકો પોલીસ મથકમાં ચિત્તલનો  કાળુભાઈ સરવૈયા, હરપાલસિંહ અજિતસિંહ સરવૈયા, પૃથ્વીરાજસિંહ વનરાજસિંહ સરવૈયા, મહાવીરસિંહ બબાભાઈ સરવૈયા, દેવકૂ ધીરુભાઈ ગઢવી, ઘનશ્યામ જયંતિ દેસાઈ ,સત્યદીપસિંહ પદુભા સરવૈયા અને પપ્પુ અજીતસિંહ સરવૈયા સામે ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનામાં તાલુકા પોલીસ મથકના સ્ટાફે  ધરપકડ કરી જેની પ્રાથમિક પૂછપરછમાં રિલીપસિંહ સરવૈયાની પુત્રી સાથે મૃતક નો ભત્રીજા ધર્મેન્દ્ર લાભશંકર મહેતાએ પ્રેમ લગ્ન કર્યા હોય જેનો ખાર રાખી  ગત તારીખ 27 /11/11ના રોજ તમામ શખ્સોએ છરી તલવાર અને પાઇપ વડે રાજેશ પરસોતમ પંડ્યા પર હુમલો કરેલો જેમાં ગંભીર રીતે ખવાતા જેને અમરેલી સિવિલ હોસ્પિટલ સારવાર તે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે મુત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.

તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચારસીટ રજૂ કર્યું હતું.  આ કેસમાં રાજ્ય સરકાર હતી સ્પેશિયલ પીપી તરીકે દિપકભાઈ ત્રિવેદી ની નિયુક્તિ કરવામાં આવી હતી બાદ અમરેલી સેશન્સ કોર્ટમાં કેસની  સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ  ફરિયાદ પક્ષ તરફથી કુલ 27 સાહેદો અને 55 દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા તેમજ સ્પેશિયલ પીપી દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાને આધારે  વર્ષ 2016 માં અદાલતેલગધીરસિંહ સરવૈયા મહાવીર શ્રી સરવૈયા ઘનશ્યામ જયંતિ દેસાઈ સત્યદીપ સરવૈયા કૃપાલસિંહ સરવૈયા ને આજીવન કેદની સજા નો હુકમ ફરમાવવામાં આવ્યો

જ્યારે હરપાલસિંહ સરવૈયા અને દેવકું ગઢવી વચગાળાના જામીન  બાદ ત્રણે નાસ્તા ફરતા હોવાથી તેઓનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. બાદ પૃથ્વીસિંહ સરવૈયા ને અમરેલી પોલીસે પકડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.જેની સામેનો કેસમાં માત્ર આખરી દલીલ જ બાકી હોય જેમાં સરકાર તરફે સ્પેશિયલ પીપી દીપકભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલી દલીલ માન્ય રાખી પૃથ્વીસિંહ સરવૈયાને  અમરેલી કોર્ટએ આજીવન કેદની સજા નો હુકમ ફરમાવેલો છે. જ્યારે હરપાલસિંહ સરવૈયા અને દેવકુ ગઢવી સામેનો કેસ પકડાયા બાદ તેની સામે કેસ ચલાવવો તેવો હુકમ ફરમાવેલો છે. આ કેસમાં સ્પેશિયલ પીપી તરીકે રાજકોટના સિનિયર એડવોકેટ દીપકભાઈ ત્રિવેદી રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.