Abtak Media Google News

રવિવારે જે તારીખ હસે તેજ મુજબના સ્ટિકર પ્રમાણેની દુકાનો જ ખૂલસે.

આજ રોજ રાજકોટના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા સ્પષ્ટતા કરતાં જણાવાયું છે, કે રાજકોટમાં આજ રોજના વેપારીઓમાં પ્રશ્ન ઊભો થયો હતો કે રવિવારના રોજ બધાં જ દુકાનો ખોલી શકાસે કે પછી ઓડ ઈવન પ્રમાણે ખૂલસે ?

તેની સ્પષ્ટતા કરતાં રાજકોટના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા એક વિડીયો મેસેજ જાહેર કરી કહેવાયું છે કે રાજકોટમાં દરેક દુકાનો કે જે જીવન જરૂરિયાત સિવાયની છે તેને એકી તારીખે રવિવાર હોય તો એક નંબર અને બેકી તારીખ હોય તો બે નંબરની દુકાનો ખૂલસે.

આ અંગે જો કોઈને કાઈ મદદ કે માહિતી જોઈતી હોય તો તમારા વિસ્તારના વોર્ડ ઓફિસરને સંપર્ક કરવાનો રહેસે અને તમામ વોર્ડ ઓફિસરના નંબર રાજકોટના મહાનગરપાલિકાની વેબ સાઇટ પર ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.