ડીઆરએમ, પી.બી. નિનાવાએ જણાવતા કહ્યું હતું કે, ભારતીય રેલ્વે ૧૬ ઓગષ્ટથી લઈ ૩૧ ઓગષ્ટ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરી રહ્યું છે. જેના અનુસંધાને રેલ્વે સ્ટેશન, કોલોનીઝ, ટ્રેન સિવાય અનેક જગ્યાએ સ્વચ્છતા હાથ ધરવામાં આવી રહી છે. આજરોજ ભક્તિનગર સ્ટેશન ઉપર સંત નિરંકારી ટ્રસ્ટનાં સંયુકત ઉપક્રમે સ્વચ્છતા હાથ ધરવામાં આવી છે. જેમાં નિરંકારી ટ્રસ્ટનાં સભ્યો અને રેલ્વેનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે.જયારે નિરંકારી ટ્રસ્ટનાં કેશવાણીજીએ જણાવ્યું હતું કે, સફાઈ અભિયાનમાં રેલ્વેનાં અધિકારીઓએ જે મોકો આપ્યો છે તેના અમે આભારી છીએ. વધુમાં જણાવતા તેમને કહ્યું હતું કે, સદ્ગુ‚ કહે છે કે, બહારની સ્વચ્છતા જેટલી જ‚ર છે તેના કરતા અંદરની સ્વચ્છતા ખૂબજ જ‚રી છે. જેના અનુસંધાને ભક્તિ કરવાથી અંદરની સ્વચ્છતા જળવાઈ છે જેથી વ્યક્તિ મહાન બને અને ભારત દેશનું નામ રોશન કરે.
Trending
- ચીને બાંગ્લાદેશ સાથે નિકટતા વધારી : ભારતની ફરતી બાજુ મિત્રો ગોઠવવાનો વ્યૂહ
- 24 કલાકમાં બીજીવાર પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનું વધુ એક કન્સાઈમેન્ટ ઝડપાયું : 173 કિલો ડ્રગ્સ કબ્જે
- ભુજ : નજીવી બાબતમાં બોલાચાલી થતાં 2 વ્યક્તિએ એસિડ દ્વારા હુમલો કર્યો
- પોસ્ટલ બેલેટ વડે હોંશભેર મતદાન કરતા સરકારી કર્મચારીઓ
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોને લઈને દિલ્હી પોલીસની કાર્યવાહી
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…