Abtak Media Google News

રાજયની તમામ ગ્રામ પંચાયત અને મતદાન મથકોને આવરી લેવાશે

ભારત જોડો યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરીથી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે હાથ સે હાથ જોડો અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરીને રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જનજન સુધી પહોચાડવામાં આવશે.

આ અંગે વધુમાં  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે,  રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય ભારતને એક કરવાનો છે.  આ યાત્રા 7 મી સપ્ટેમ્બરે ક્ધયાકુમારીથી શરૂ થઈ હતી અને 12 રાજ્યોમાંથી પસાર થશે, જે જમ્મુ અને કાશ્મીરમાં પરિણામવાની છે અને તેનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા – લગભગ 150 દિવસના સમયગાળામાં લગભગ 3,500 કિલોમીટરનું અંતર કાપશે. યાત્રાને પહેલેથી જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે;  આજે આ યાત્રા 104 દિવસ અવિરત રોજના 25 કિ.મી. ચાલીને આપણા રાષ્ટ્રને વિભાજિત કરી રહેલા આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દાઓ સામે અવાજ ઉઠાવી રહી છે અને  કોંગ્રેસના નેતાઓની સાથે લાખો લોકો આંદોલનમાં જોડાયા છે. આ યાત્રા પ્રચંડ બેરોજગારી અને મોંઘવારી, નફરત અને વિભાજનની રાજનીતિ અને આપણી રાજકીય  વ્યવસ્થાના અતિશય કેન્દ્રીકરણને સંબોધવા માંગે છે જીવનના તમામ ક્ષેત્રના લોકો આ ઐતિહાસિક ચળવળનો ભાગ બનવા માટે એકઠા થઈ રહ્યા છે. તે ભારતની એકતા, તેની સાંસ્કૃતિક વિવિધતા અને તેના લોકોના અવિશ્વસનીય મનોબળની ઉજવણી છે.

બેઠકમાં સર્વાનુમત્તે ભારત જોડો યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી 2023 થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે હાથ સે હાથ જોડો અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરીને રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જનજન સુધી પહોચાડવામાં આવશે.

બેઠકમાં  ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડીયા,  સિધ્ધાર્થભાઈ પટેલ,  અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરા,  જીગ્નેશભાઈ મેવાણી સુખરામ રાઠવા, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર,  કીરીટભાઈ પટેલ,  દિનેશભાઈ ઠાકોર,  અમૃતજી ઠાકોર એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાત સંગઠનના સહપ્રભારી  ઉષા નાયડુ,  બી.એમ. સંદિપ, પ્રદેશ અગ્રણી જયનારાયણ વ્યાસ, એ.આઈ.સી.સી.ના મંત્રી સોનલબેન પટેલ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમર, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેન ઘનશ્યામ ગઢવી હાજર રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.