Abtak Media Google News

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ કોંગ્રેસ પર આકરા વ્યંગબાણ છોડ્યા

વિધાનસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વેરવિખેર યેલી  કોંગ્રેસ પાસે નીતિ,નેતા,નિયતિ કે નિષ્ઠા ન હોવાનું જણાવી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસને ઓળખી ગયેલા દિગગજ નેતાઓ કોંગ્રેને રામ-રામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

આગામી વિધાનસભાની ચુંટણી માટે કોગ્રેસ પાર્ટી પોતાની ચુંટણીલક્ષી રણનિતિ ઘડવામાં જોતરાઈ છે અને પોતાનો લક્ષ્ય પાર પાડવા શામ દામ-દામ-દંડ-ભેદની નિતિઓ અપનાવવા સો દિવસ-રાત એક કરી ચુંટણીની ચોપાટના સોગઠા કોંગ્રેસ પાર્ટી ગોઠવી રહી છે અને આ વખતની ચુંટણીમાં અત્યારી જ રાષ્ટ્રિય નેતાઓની ફોજ સો સ્ટાર પ્રચારકોની યાદીઓ બનાવવાઇ રહી છે. ત્યારે દિલ્હીમાં બેઠેલા કોગ્રેસ મોવડીઓ દ્વારા મિટીંગોનો ધમ-ધમાટ ચાલ્યો અને આવનારી ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે કેન્દ્રની નેતાગીરીએ ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક દીઠ તમામ બેઠક પર એક-એક નિરિક્ષકની યાદી તૈયાર કરી લીધી છે. નવાઇની વાતતો એ છે કે, આ તમામ ૧૮૨ નિરિક્ષકો કોંગ્રેસના દિલ્હી સહિત અન્ય રાજ્યોના કોંગીનેતાઓ છે તેમાં એક પણ નિરિક્ષક ગુજરાતમાંી નિયુક્ત કરવામાં આવ્યો ની,ત્યારે આ નિર્ણયને લઇને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ કટાક્ષ વ્યંગ કરવા સો અણીયારા સવાલો કોંગ્રેસને કર્યા છે.

રાઘવજીભાઈએ સણસણતો કહી શકાય તેવો સવાલ કોંગ્રેસ પાર્ટીને પુંછ્યો છે, કે તમામ ૧૮૨ વિધાનસભાની સીટ પર આપે ગુજરાત બહારના જ ૧૮૨ કોંગ્રેસી નિરિક્ષકોને નિયુક્ત કર્યા, તો શું આપની પાસે ગુજરાત કોંગ્રેસમાં કોઇ આપના નેતાને નિરીક્ષક તરીકેની જવાબદારી સંભાળતા આવડતું ની? કે આપને ગુજરાતના આપના કોઇ નેતા પર વિશ્વાસ ની? અને જો આપને જ આપના ગુજરાતના નેતાઓ પર વિશ્વાસ ન હોય તો પછી પ્રજાને ગુજરાતના ઝવેરી જેવા મતદારોને ક્યાંી વિશ્વાસ હોય? અને આપે જે કર્યૂ તે આપની મતિ અનુસાર યોગ્ય કર્યૂ છે.

તેમણે વધુમાં જણાવ્યા મુજબ કોંગ્રેસ એટલે આ દેશની આઝાદી બાદ ઘણા સમય સુધી કહેવાતી સૌી મોટી પાર્ટી, પરંતુ આજે એ જ કોંગ્રેસને પોતાનું અસ્તિત્વ ટકાવવા હવાતિયા મારવા પડે છે, તેનું પણ કારણ છે,કોંગ્રેસ પાસે નિતિ ની, નેતા ની, સારી નિયત ની અને નિષ્ઠા શું તેની તો કોંગ્રેસને ખબર જ ની.

નિતિ એટલે જે મતદારોએ આપણને ચુંટીને, આપણા પર વિશ્વાસ મુકીને પ્રજાહિતના કાર્યો કરવા મોકલ્યા તેવા પ્રજાહિતના,વિકાસના કાર્યો કરવા, પરંતુ આવા કોઇ કાર્ય કરવા તો એક બાજુની વાત રહી પાછલા વર્ષોની જ વાત કરીએ તો અરબો રૂપિયાના કૌભાંડો કરીને પ્રજાની નજરમાંી કોંગ્રેસ ઉતરી ગઇ,લોકસાહીમાં સિંહાશન પર બેસાડનાર પ્રજા છે અને ત્યાંી ઉતારી ફેકી દેનાર પણ પ્રજા છે આ નિતિ-રાજનિતિને કોગ્રેસ ક્યારેય સમજી ન શકી.

કેપ્ટન વગર દરિયામાં જહાજ કે આકાશમાં પ્લેન ચાલી ન શકે, અકસ્માત સર્જાય તેમ આ કોંગ્રેસ પાસે એક પણ નેતા ની કોંગ્રેસ માત્ર નહેરૂ-ગાંધી પરિવારની જાગીર બની ગઇ છે નેતા તો બસ તેમાંી જ, અને વાત નિયતની કરીએ તો એક સમયે અનેક-અનેક કેન્દ્રિય દિગ્ગજ નેતાઓી હરિભરી આ કોંગ્રેસ પાર્ટીએ પોતાની મનમાની,અંગત હિત, આ દેશની વિશાળ જન સંખ્યાને નજર અંદાજ કરી પોતાની મનમાની કરી તેી રાષ્ટ્રિય કક્ષાએ શરદ પવાર,પી.એન.સંગમા જેવા અનેક અનેક નેતાઓએ કોંગ્રેસ છોડી અલગ ચોકો જમાવ્યો અરે કેન્દ્રની ક્યાં ગુજરાતની જ વાત કરીએ તો કોંગ્રેસની પ્રજાહિત વિરુદ્ધની માનસિકતા, જોહુકમીના કારણે અને સામા વિકાસ…. વિકાસ….અને માત્ર પ્રજાના, ગુજરાતના વિકાસ મંત્રના જાપ સો ગુજરાતને દેશનું મોડલ રાજ્ય બનાવનાર ભાજપ સો છેલ્લા સમયમાં વિઠ્ઠલભાઇ રાદડીયા,નરહરિ અમિનભાઇ જેવા અનેક પ્રજાહિત ચિંતક નેતાઓ જોડાયા અને તેની પાછળ એક જ કારણ ભાજપની સાફ સુરી અને પ્રજાહિતના, વિકાસના કાર્યો કરવાની નિયત, જ્યારે કોંગ્રેસની ખોરા ટોપરા જેવી નિયતના કારણે હમણાં સુધી કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા શંકરસિંહ વાઘેલા સહિત ધારાસભ્યોએ પણ કોંગ્રેસને રામ-રામ કરી દીધા.

નિયત જો સાફ સુરી અને પ્રજાહિત, વિકાસ સોની હોયને તો જ આજે વિશ્વના દેશો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માટે લાલ જાઝમ બિછાવે, વિશ્વમાં પોતાની નિયત સબંધિત કાર્યોી છવાઇ જાય અને વાત કરીએ સાફ નિયતની તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઇ રૂપાણીએ માત્ર ૨૦૦ દિવસમાં ૩૭૬ પ્રજાહિતના કાર્યોની, વિકાસ કાર્યોની ધડાધડ જાહેરાતો કરી તેનો તાબડતોડ અમલ કરાવ્યો તેને નિયત કહેવાય આજે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ સહિત ગુજરાત સરકારના તમામ મંત્રીઓ ધારાસભ્યો પલેપલ પ્રજાના હિતની ખેવના કરી પ્રજાની વચ્ચે જઇ, પ્રજાહિતના કાર્યો કરી રહ્યા છે આને નિયત કહેવાય.

આ કોંગ્રેસને નિષ્ઠા શું તેની તો ખબર જ ની એ એટલા માટે કહી શકાય કે, જે પોતાનાને તો પોતાના સમજે પણ લાયકાત અને યોગ્યતા સોના વ્યક્તિને પણ પોતાના લાયકાત વાળા,યોગ્ય સમજી પોતાના માની તેની કદર કરે તેને નિષ્ઠા કહેવાય તેનું માત્ર એક જ મોટું ઉદાહરણ આપવુ છે અને તે છે  આપણા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી,પ્રણવદા, તેઓ વર્ષોી કોંગ્રેસ સો જોડાયેલા નેતા હોવા છતા પણ તેની યોગ્યતા-લાયકાત પારખી ભાજપની સરકારે તેને આ દેશનું સર્વોચ્ચ પદ એવા રાષ્ટ્રપતિ બનાવ્યા હતા આને કહેવાય નિષ્ઠા, અંદરો અંદરની ટાંટીયા ખેંચ, અંગત ર્સ્વા માટે પ્રજાદ્રોહને ન કહેવાય નિષ્ઠા.

આવાનારી ચુંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના ભારતને ગુરૂ દેશ,મહાસત્તા બનાવવાના અભિયાનને મુખ્યમંત્રી વિજયભાઇની ગુજરાતની વિકાસ યાત્રામાં આગળને આગળ હરનફાળને અને ગુજરાત ભાજપની તમામ વર્ગના હિતની ચિંતા કરતી ભાજપ સરકારને ફરી પાંચ વર્ષ માટે મેન્ડેટ આપશે અને ૧૫૧ પ્લસનો ટાર્ગેટ ર્સાક કરી બતાવશે તેવો વિશ્વાસ શ્રી ગડારાએ અંતમાં વ્યક્ત કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.