Abtak Media Google News

ગંદાપાણીના નિકાલ પ્રશ્ર્ને સ્થળ મુલાકાતે ગયેલા અધિકારીઓ સાથે બોલાવી બઘડાટી: બે સામે નોંધાતો ગુનો

આજી વસાહત વિસ્તારમાં ગંદા પાણીની ફરીયાદના પ્રશ્ર્ને વોર્ડ નં.૧પ ના ઇજનેર અને ડેપ્યુટી ઇજનેર સહીતના સ્ટાફે સ્થળ મુલાકાત લીધી હતી. તે દરમિયાન કોંગી મહીલા નગરસેવકના પતિ સહીતના લતાવાસીઓએ અધિકારીઓ સાથે બોલાચાલી કરી માર માર્યો હતો.

સમગ્ર ઘટનાથી કોર્પોરેશનમાં ચકચાર જાગી છે. આ બનાવ અંગે પોલીસે ચોંધ કરી તપાસ હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના વોર્ડ નં.૧પ ના આજી વસાહત વિસ્તારમાં ગંદા પાણીની ફરીયાદના પ્રશ્ર્ને વોર્ડ ઇજનેર પટેલીયા અને ડેપ્યુટી ઇજનેર અરજણભાઇ ડાયાભાઇ સદાદીયા સહીતના સ્ટાફે ખોડીયારપરા વિસ્તારની મુલાકાત લીધી હતી  તે દરમિયાન કોંગી કોર્પોરેટર માસુબેનના પતિ રામભાઇ હેરભા અને લક્ષ્મણભાઇ સહીતના લતાવાસીઓએ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી માર માર્યો હતો. આ બનાવ અંગે કોર્પોરેશનના અધિકારીઓએ થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. પીએસઆઇ જે.જી. ચૌધરી સહીતનો સ્ટાફ ફરીયાદના આધારે તપાસ ચલાવી રહ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.