Abtak Media Google News

પોર્ટના અદ્યતન વિકાસથી દરિયાઇ માર્ગે વેપાર માટે ગુજરાત અન્ય રાજ્યો માટે મહત્વપૂર્ણ સ્થાન બનશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ કંડલાના દીનદયાળ પોર્ટ પર તુણા-ટેકરી ખાતે જાહેર-ખાનગી ભાગીદારી હસ્તક બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (ઇઘઝ) માધ્યમથી ક્ધટેનર ટર્મિનલ વિકસિત કરવાની મંજૂરી આપી છે. રૂ. 4,243.64 નો સંભવિત ખર્ચ ક્ધસેશનિયરના ભાગે રહેશે જ્યારે સામાન્ય યુઝર સુવિધાઓનો રૂ. 296.20 કરોડનો ખર્ચો ક્ધસેશનિંગ ઓથોરિટીનો ભાગ રહેશે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી, ભવિષ્યમાં ક્ધટેનર કાર્ગો ટ્રાફિકમાં થતી વૃદ્ધિમાં તે સહાયતા પૂરી પાડશે. 2025 સુધીમાં, 1.88 મિલિયન ઝઊઞત નો નેટ ગેપ ઉપલબ્ધ થશે જે તુણા ટેકરી દ્વારા પૂરો કરી શકાય છે.

તુણા ખાતે અત્યાધુનિક ક્ધટેનર ટર્મિનલનો વિકાસ થવાથી વ્યૂહાત્મક લાભ પણ છે.કારણ કે તે બંધ ક્ધટેનર ટર્મિનલ હશે જે ઉત્તર ભારતના વિસ્તારો (જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન) ના મોટા અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપશે. કંડલાની વ્યાપારિક ક્ષમતામાં વધારો કરવા ઉપરાંત, આ પ્રોજેક્ટ અર્થતંત્રને વેગ આપશે અને રોજગારીનું સર્જન કરશે.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના આ દીનદયાળ પોર્ટના અદ્યતન વિકાસ માટેના કાર્યને મંજૂરી આપવા અંગે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીનો હ્યદયપૂર્વક આભાર વ્યકત કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે, 1600 કિલોમીટર લાંબો વ્યૂહાત્મક સમુદ્ર કિનારો ધરાવતું ગુજરાત દેશના કુલ કાર્ગો હેન્ડલીંગમાં 40 ટકાનું યોગદાન આપે છે* હવે, દીનદયાળ પોર્ટના આ નવતર વિકાસ માટે કેન્દ્રીય કેબિનેટની મળેલી મંજૂરીના પરિણામે ગુજરાત દરિયાઇ માર્ગે વેપાર માટે અન્ય રાજ્યો માટે મહત્વપૂર્ણ રાજ્ય બનશે.એટલું જ નહિ, પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં પણ ગુજરાત વધુ સક્રિયતાથી યોગદાન આપી શકશે.

આ પ્રસ્તાવિત પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા મારફતે ખાનગી ડેવલપર/બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (ઇઘઝ) ઓપરેટર દ્વારા ઇઘઝ ધોરણે વિકસાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. 30 વર્ષના સમયગાળા સુધી નિયુક્ત કાર્ગો સંચાલન માટે ક્ધસેશનર (ઇઘઝ ઓપરેટર) અને ક્ધસેશન ઓથોરિટી (દીનદયાળ પોર્ટ) દ્વારા અમલ કરાયેલ ક્ધસેશન એગ્રીમેન્ટ (ઈઅ) હેઠળ પ્રોજેક્ટની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ધિરાણ, પ્રાપ્તિ, અમલીકરણ, તેમજ  સંચાલન અને જાળવણી માટે ક્ધસેશનર જવાબદાર રહેશે. ક્ધસેશનિંગ ઓથોરિટી કોમન એક્સેસ ચેનલ અને કોમન રોડ જેવા કોમન સહાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જવાબદાર રહેશે.આ પ્રોજેક્ટમાં રૂ. 4,243.64 કરોડના ખર્ચે સંલગ્ન સુવિધાઓ સાથે એક સમયે ત્રણ જહાજોને હેન્ડલ કરવા માટે ઑફ-શોર બર્થિંગ સ્ટ્રક્ચરનું નિર્માણ અને વાર્ષિક 2.19 મિલિયન ઝઊઞત ની હેન્ડલિંગ ક્ષમતાનો સમાવેશ થાય છે.શરૂઆતમાં આ પ્રોજેક્ટ 6000 ઝઊઞના 14 ળ ડ્રાફ્ટના જહાજોને સુવિધા પૂરી પાડશે અને તેના માટે 15.50ળની ક્ષમતાની કોમન ચેનલ બનાવવામાં આવશે જે ચોવીસ કલાક સુધી 14ળ ડ્રાફ્ટના જહાજોને નેવિગેટ કરશે.

તેનું નિર્માણ અને સંચાલન ક્ન્સેશનિંગ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે. ક્ધસેશન પીરિયડ દરમિયાન ક્ધસેશનર પાસે 18ળની ડ્રાફ્ટ સુધીના જહાજોને હેન્ડલ કરવાની સ્વતંત્રતા હશે. તેના માટે તેઓ અપ્રોચ ચેનલને ઉંડીં, પહોળી કે બર્થ પોકેટ અથવા તો ગોળાકાર કરી શકે છે. ડ્રાફ્ટ વધારવાની દરખાસ્ત સમયે એક્સેસ ચેનલને ક્ધસેશનિંગ ઓથોરિટી અને ક્ધસેશનર વચ્ચે ખર્ચની ભાગીદારી કરીને પરસ્પર કરારના આધારે વધારી શકાય છે. દીનદયાળ પોર્ટ ભારતના 12 મેજર પોર્ટ પૈકી એક છે જે ગુજરાતના કચ્છ જિલ્લાના કંડલા ખાતે છે. આ પોર્ટ પરથી મુખ્યત્વે ઉત્તર ભારત (જમ્મુ કાશ્મીર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન)માં સેવાઓ પહોંચે છે. ભારતના મુખ્ય બંદરોમાં કાર્ગો હેન્ડલીંગમાં, સતત 15મા વર્ષે દીનદયાળ પોર્ટ પ્રથમ સ્થાને છે.  અહીં વર્તમાન કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા 165 ખઝઙઅની છે અને 2030 સુધીમાં 300 મિલિયન ટન કાર્ગોની ક્ષમતા ધરાવતા મેજર પોર્ટ નિર્માણનું મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030 સાકાર થવાની દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.