Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 392 કેસ નોંધાયા: રાજકોટ-શહેર જીલ્લામાં સૌથી વધુ 208 કેસ

પોરબંદરમાં એક પણ નવો કેસ ન નોંધાતા રાહત

સૌરાષ્ટ્રમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધાયા છે. આ સાથે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 11 લોકોને ભરખી પણ ગયો છે. જેને પગલે તંત્ર પણ ચિંતિત બન્યું છે. હાલ કોરોનાના સંક્રમણને અટકાવવાના પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2360 કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 2004 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 392 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે.

01

રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 172 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 36 કેસો નોંધાયા છે. આમ કુલ 208 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 129 અને ગ્રામ્યમાં 20 મળી કુલ 149  દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેર અને જિલ્લામાં કુલ 13967 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.

જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 31 અને ગ્રામ્યમાં 30 મળી કુલ 61 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 48 અને ગ્રામ્યમાં 15 મળી 63 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે 4162 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 34 અને ગ્રામ્યમાં 15 મળી કુલ 49 કેસ નોંધાયા છે.

શહેરમાં 19 અને ગ્રામ્યમાં 5 મળી કુલ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 8402 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢની સ્થિતિ અન્ય જિલ્લાના પ્રમાણમાં સારી છે. અહીં શહેરમાં 6 અને ગ્રામ્યમાં 10 મળી કુલ માત્ર 16 કેસ જ નોંધાયા છે. 4772 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

જ્યારે દેવભૂમિ દ્વારકામાં 6 કેસ નોંધાયા છે. 3071 લોકોને વેકસીન પણ અપાઈ છે. ગીરસોમનાથ જિલ્લામાં 2 કેસ નોંધાયા છે. અને 1717 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં 19 કેસ નોંધાયા છે. સામે 14 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 7466 લોકોનું વેકસીનેશન કરાયું છે. અમરેલી જિલ્લામાં 18 કેસ નોંધાયા છે. 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 6209લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. 15 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 4038 લોકોને વેકસીન આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધાયા છે. અહીં 208 કેસ નોંધાયા છે. સામે પોરબંદર જિલ્લામાં રાહત મળી છે. અહીં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.