Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પાસે આવેલી એકતા સોસાયટીમાં એક સાથે 8 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે ત્યારે એકતા સોસાયટીમાં રહેતી શિક્ષિકા પણ કોરોના સંક્રમિત થઈ છે.

વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલી એકતા સોસાયટીમાં એક સાથે આઠ લોકોના કોરોના સંક્રમિત થયા છે જેમાં 5 લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા છે અન્ય ત્રણ લોકો સરકારી માં સારવાર લઈ રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે વઢવાણમાં કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે સાંજના સમયે એક સાથે આઠ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા એકતા સોસાયટીના રહેવાસીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

તે છતાં પણ હજુ સુધી જિલ્લા પ્રશાસન વિભાગે આ સોસાયટીમાં કોઈ પણ જાત ની કોરોના સંક્રમણ અટકે તેવી વ્યવસ્થા ઊભી કરી નથી બીજી તરફ આ બાબતની જાણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગને થતાં આરોગ્ય વિભાગના ધામા સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર આવેલી એકતા સોસાયટીમાં નાખવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગના અધિકારીઓ તાત્કાલિક પણ એકતા સોસાયટીની મુલાકાતે દોડી ગયા હતા ત્યારે હાલમાં આઠ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ શહેરની દાળમિલ સોસાયટીમાં વહેલી સવારે બે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમને પણ સારવાર માટે સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે હાલમાં જિલ્લામાં કોરોના રસીકરણ આપવામાં આવતું હોવા છતાં પણ સંક્રમણ વધતું જઈ રહ્યું છે જેને લઇને જિલ્લાની જનતામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે હજુ પણ સલામતી જરૂરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે ત્યારે ગઈકાલે સાંજના સમયે સુરેન્દ્રનગર નાં વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં એક સાથે આઠ પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે જેમાં એક શિક્ષિકા નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જે ખાનગી સ્કૂલમાં શિક્ષિકા ફરજ બજાવી રહ્યા છે તેમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે વાલીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે એક સાથે આઠ નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા હોવા છતાં પણ સરકારી ચોપડે ફક્ત 4 પોઝીટીવ કેસ દર્શાવવામાં આવતા આરોગ્ય વિભાગની પોલ છતી થઈ છે.દાળમિલ સોસાયટી વિસ્તારમાં કોરોના ના બે નવા પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે ત્યારે જિલ્લામાં કોરોના ના કારણે વધુ એક કોરોના ગ્રસ્ત દર્દી નું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે

સુરેન્દ્રનગર જિલ્લા માં કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે.ત્યારે જિલ્લા માં સતત કોરોના સંક્રમણ વધતા ની સાથે અધિકારીઓ પણ કોરોના ની લપેટ માં આવી ગયા છે.ત્યારે સુરેન્દ્રનગર એક્સસિસ બેન્ક ના મેનેજર નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.ત્યારે આ બેન્ક ના કર્મચારીઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.ત્યારે હાલ માં બેન્ક મેનેજર કોરોના ની લપેટ માં આવતા હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ત્યારે બેન્ક ના કામો પણ બંધ કરવામાં આવ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.