Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભુગુપુર ગામના એક જ પરિવારના 3 લોકોએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રાથમિક માહિતી મુજબ યુવકને અમદાવાદની યુવતી સાથે મૃતક યુવકે મૈત્રી કરાર કર્યા હતા. આથી મૈત્રી કરાર બાદ યુવક અને તેના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. માનસિક ત્રાસને કારણે યુવક અને તેની માતાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ સાથે પિતરાઈ ભાઈને પણ આ મામલે લાગી આવતા તેઓએ પણ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી.

ભુગુપુર ગામ માનસિક ત્રાસ મામલે મૃતક યુવકે પોલીસમાં કરી હતી અરજી

Whatsapp Image 2022 12 17 At 9.49.24 Am 1

માનસિક ત્રાસ મામલે મૃતક યુવકે પોલીસમાં અરજી પણ કરી હતી. તમામના મૃતદેહને ચુડાના ભુગુપુર ગામે લાવવામાં આવ્યા હતા. પરંતુ ભુગુપુર ગામે પરિવારજનોએ મૃતદેહ ન સ્વીકારતા પોલીસે આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પિતરાઈ ભાઈની આત્મહત્યાનું કારણ જાણવા અંગે પણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવાને અમદાવાદમાં રહેતી યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભૃગુપુર ગામમાં બનેલા આ બનાવ પાછળ મૃતક યુવકે કરેલા મૈત્રી કરાર જવાબદાર હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. મૃતક યુવાને અમદાવાદમાં રહેતી યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તેઓ સાથે રહેતા હતા. આથી મૃતકના પત્ની અન્ય યુવક સાથે ભાગી ગયા બાદ મૃતક યુવકે અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરી રહેતા હતા. આત્મહત્યા કર્યાના 24 કલાકમાં જ તેના પિતરાઈ ભાઇએ પણ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Whatsapp Image 2022 12 17 At 9.49.24 Am 2

તમામના મૃતદેહને અત્યારે ચુડાના ભુગુપુર ખાતે લાવવામાં આવ્યા છે. પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર ન કરવાનો નિર્ણય લેતા વાતાવરણ ગરમાયું છે. હાલ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.