Abtak Media Google News

પ્રાચીન કાળથી ગાયનો મહિમા અપરંપાર છે કહેવાતું હતું કે આપણા દેશમાં ગંગાઓ વહેતી હતી. ગાયનું દુધ અનમોલ તો હોય જ છે પણ તેમાં પણ ગીર ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ છે. પણ આધુનીકીકરણને કારણે સાત્વિકતા ઘટતી જાય છે ને ગાયોની ઉપેક્ષા વધતી જાય છે. વેદપુરાણોમાં ગાયને કામધેનું કહેવાય છે કેમ કે તે  મૃત્યુ સુધી દૂધ આપતી રહે છે. ગાયનાં દૂધનાં અનેક ફાયદાઓ છે જેનો આધાર પણ વૈજ્ઞાનિક છે.

  1. સ્નાયુની મજબૂતાઈ

આપણે ભારતમાં પરંપરા છે કે આપણે શિશુઓ અને બાળકોને કાચું દૂધ આપીએ છીએ. જીવનના પ્રારંભિક તબક્કે તંદુરસ્ત સ્નાયુ બનાવવી ક્રિયા થવી ખૂબ જરૂરી છે. સ્નાયુ મજબૂતાઇ માટે દૂધ શ્રેષ્ઠ ખોરાક છે. દૂધ 20% વ્હેય (ૂવયુ) અને 80% કેસિન (ભફતયશક્ષ) પ્રોટીન છે, બંને સ્નાયુઓના નિર્માણ માટે જવાબદાર છે.

  1. સ્લીપ બૂસ્ટર!

દૂધમાં ટ્રિપ્ટોફેન છે જે એમિનો એસિડ છે. ટ્રિપ્ટોફેન સુસ્તીનું કારણ બને છે તેનો અર્થ એ છે કે તમે ઊંઘ અનુભવશો! તેથી સુતા સમય પહેલાં ગરમ દૂધ ગ્લાસ ઊંઘ ની મજબૂત કિક આપે છે.

  1. હાડકા મજબુત બનાવે છે.

મજબૂત હાડપિંજર જીવન જીવવા માટે જરૂરી છે. શરીર ને તંદુરસ્ત શરીર ત્યારે કહેવામાં આવે છે જો તમારું હાડપિંજર રોજ-બ-રોજ કાર્ય કરે. હાડપિંજર ને કેલ્શિયમને પસંદ છે! અને દૂધ કેલ્શિયમ નો અત્યંત સમૃદ્ધ સ્ત્રોત છે, તમારા દાંતને કેલ્શિયમની જરૂર છે. દૂધના કપમાં 276 – 300 મિલિગ્રામ (એમજી) કેલ્શિયમ છે. દૈનિક ધોરણે પુરુષો / સ્ત્રીઓમાં 1000 એમજી કેલ્શિયમ હોવું જોઈએ.

  1. મગજ શક્તિ વધે છે

સંશોધન બતાવે છે કે દૂધ મગજના જ્ઞાનાત્મક કાર્યને સુધારે છે. દૂધ વિટામિન બી 12 નો સ્રોત છે, તેમાં બી 12 સારા એવા પ્રમાણમાં હોય છે આમ દૂધ શાકાહારી લોકો માટે વરદાન છે. મગજની શક્તિ અને જ્ઞાનાત્મક કાર્ય માટે વિટામિન બી 12 આવશ્યક છે, તે અલ્ઝાઇમર રોગને અટકાવવામાં મદદ કરે છે. તમારા મગજ માટે, કૃપા કરીને દૈનિક ઓછામાં ઓછું 1 કપ દૂધ પીવો!

  1. હાર્ટ એટેકથી બચાવે છે

ગાય ઓમેગા -3 ફેટી એસિડનું ઊંચું મૂલ્ય ધરાવે છે. ઓમેગા 3 એચડીએલ (ઇંઉક) કોલેસ્ટેરોલ વધારે છે જે ‘સારા’ કોલેસ્ટેરોલ તરીકે ઓળખાય છે. ઓમેગા 3 હાનિકારક રક્ત ગંઠાઇ જવાથી અટકાવે છે. ઓમેગા -3 હાઈ બ્લડ પ્રેશરવાળા લોકોના બ્લડ પ્રેશર સ્તર ઘટાડે છે. ટૂંકમાં, દૂધમાં આવા તત્વો છે જે હૃદય માટે ખૂબ જ સારા છે.

  1. એસીડીટી મટાડે છે

ગાયના દૂધમાં ઓમેગા 3, એન્ટીઑકિસડન્ટ સંયોજનો અને પ્રોટીન જેવા પદાર્થો છે જે એસીડીટી મટાડે છે.

  1. શરીર ની ચરબી ઘટાડે છે (વજન)

દૂધમાં લિનોલીક એસિડ (સીએલએ) છે જે શરીરમાં ચરબી બાળે છે. ડેરી કેલ્શિયમ પણ શરીરમાં વજન ઘટાડે છે. દૂધમાં વિટામીન ડી હોય છે, જે ચરબીને બાળવામાં મદદ કરે છે.

  1. કેન્સર નું જોખમ ઘટાડે છે

દૂધમાં એન્ટિ-કેન્સર એજન્ટો હોય છે જે કેન્સર કોશિકાઓના વિકાસને અટકાવે છે. કેટલાક સંશોધન સૂચવે છે કે દૂધનો નિયમિત વપરાશ કેન્સર અટકાવે છે. ઑટોગો યુનિવર્સિટીનું સંશોધન અને તેના પરિણામ કહે છે કે દૂધના દૈનિક વપરાશથી આંતરડાના કેન્સરનું જોખમ 30% જેટલું ઓછું થઈ ગયું છે. ઘણા અભ્યાસોએ જણાવ્યું છે કે ઓછી ચરબીવાળા દૂધથી અંડાશયના કેન્સરનું જોખમ ઓછું થયું છે. દૂધમાં રહેલું સીએલએ-ક્ધજેજ્યુટેડ લિનોલિક એસિડ એન્ટી કેન્સર એજન્ટ માટે જાણીતું છે.

  1. ત્વચાનો મિત્ર

પ્રાચીન સમયથી સ્ત્રીઓ ચમકતી ચામડી માટે દૂધનો ઉપયોગ કરે છે, આજ ના સમય મા પણ લોકો હળદરની પેસ્ટ અને દૂધ ને ચેહરા પાર ચમકતી ચામડી માટે લગાવે છે. પ્રાચીન સમયમાં રાણીઓ અને અન્ય ઉજવણી કરનારા મહિલાઓ દૂધ થી સ્નાન કરતી! દૂધ તેમની સુંદરતા માટે જવાબદાર હતું. દૂધમાં લેક્ટિક એસિડ મૃત ત્વચા દૂર કરે છે.

  1. મેમરી, શક્તિ અને બુદ્ધિ

આયુર્વેદ અનુસાર ગાયના દૂધમાં ઓજ (શક્તિ) વધારવા નું શ્રેષ્ઠ દ્રવ્ય છે. સારા આરોગ્ય અને યાદશક્તિ માટે ગાય દૂધ શ્રેષ્ઠ છે. ગાયનું દૂધ મગજ ના એવા પ્રદેશો વિકસાવવા માટે મદદ કરે છે જે મેમરી અને બુદ્ધિ માટે જવાબદાર છે.

– સંકલન : મિત્તલ ખેતાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.