Abtak Media Google News

નર્મદા ડેમે આજે 133 મીટરની ઐતિહાસિક સપાટી પાર કરી છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 2.90 લાખ ક્યુસેક પાણીની આવક હાલ થઇ રહી છે. જેને પગલે ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.નર્મદા નદી પરનો ગોરા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. જેને કારણે બ્રિજ પરના વાહન વ્યવહાને બંધ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

નર્મદા ડેમમાંથી 2 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.