Abtak Media Google News

બચાવવા વચ્ચે પડેલો નાનો ભાઈ પણ દાઝ્યો: મકાન રીપેરીંગ માટે ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા કરાયો ખૂની હુમલો

ગોંડલ તાલુકાના પ્રૌઢને ઉઘરાણીના પ્રશ્ને પાટ ખીલોરીની મહિલા સહિત ચાર શખ્સોએ જીવતો સળગાવતા સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના ગામે રહેતા ભનુભાઈ વિરાભાઈ ચાવડા નામના ૪૫ વર્ષના પ્રૌઢ અને તેના ભાઈ મુકેશ ચાવડાને પાટ ખીલોરી ગામે રહેતી શારદાબેન, કાનો, પ્રવિણ અને ગીરધર નામના શખ્સોએ કેરોસીન છાંટી જીવતો સળગાવ્યાની ચોંકાવનારી ઘટના પોલીસમાં નોંધાઈ છે.

પાટ ખીલોરીની શારદાબેનના મકાનના રિપેરીંગ માટે ભનુ ચાવડાએ રૂ.૧.૫૦ લાખ ઉછીના આપ્યા હતા તેની ઉઘરાણી કરવા પોતાના નાનાભાઈ મુકેશ સાથે પાટ ખીલોરી ગામે ગયો હતો ત્યારે ચારેય શખ્સોએ કેરોસીન છાંટી દિવાસળી ચાંપ્યાનો ભનુ ચાવડાએ આક્ષેપ કર્યો છે.

ભનુ ચાવડા બે પુત્રી અને એક પુત્ર પૈકી સૌથી મોટી પુત્રીના દોઢેક માસ બાદ લગ્ન હોવાથી ઉઘરાણી કરવા ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.