Abtak Media Google News
અબતક
એક તરફ ઝડપી ન્યાયપ્રણાલીની વાત કરવામાં આવે છે તો બીજી બાજુ નજીવા કારણોસર થયેલા વિવાદોમાં તારીખ પે તારીખ પડયા કરે છે જેના કારણે લોકો ન્યાય માટે વલખા મારતા રહે છે. એક તરફ જ્યારે અરજદારો ન્યાય માટે વલખા મારતા હોય છે ત્યારે બીજી બાજુ કોર્ટોમાં કેસોનો ભરાવો પણ સતત વધતો જતો હોય છે જેના કારણે ઝડપી ન્યાયતંત્રની વાતો ફક્ત કાગળ પર સીમિત રહી જાય છે અને અમુક સમયે તો અરજદારના મોત બાદ તેનો કેસ બોર્ડ પર આવે તેવી પરિસ્થિતિ પરિણમે છે.

અમુક કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે તો સ્પેશ્યલ કાયદા બનાવવામાં આવ્યા છે છતાં પણ ઝડપી ન્યાય મળી શકતો નથી. જેમ કે, ચેક રિટર્ન કેસમાં સેટલ લો હોવા છતાં કેસનો નિકાલ કરવામાં ખૂબ વિલંબ થતો હોય છે. જે કેસની સુનાવણી ગણતરીની કલાકોમાં પૂર્ણ થઈ જવી જોઈએ તેવા કેસોમાં પણ તારીખો પડ્યા કરે છે. આઈપીસીની કલમ ૧૩૮(ચેક રિટર્ન) કેસમાં સતત તારીખ પે તારીખ પડયા કરે છે અને જ્યારે અરજદાર કોર્ટ-કચેરીના ધક્કા ખાઈને કંટાળી જાય ત્યારે આ કેસોને લોક અદાલતના હવાલે કરી દેવામાં આવે છે. ધક્કા ખાઈ ખાઈને અરજદાર પણ અંતે સમાધાન કરવા મજબૂર થઈ જતો હોય છે અને લોક અદાલત થકી કેસ ફેસલ કરી નાખવામાં આવે છે. અમુક કિસ્સાઓમાં તો અરજદારની ધ્યાન બાર જ લોક અદાલતમાં કેસ મૂકીને કેસ ફેસલ કરી નાખવામાં આવે છે તેવી ફરિયાદો પણ ઉઠતી હોય છે. ખરેખર લોક અદાલત એટલે બે પક્ષો વચ્ચે થયેલી ગેરસમજણો દૂર કરીને સુખદ સમાધાન કરાવવા માટેની એક વ્યવસ્થા છે.

 લોક અદાલતનો ઉદ્દેશ્ય સમાધાનનો હોવો જોઈએ, માત્ર કેસ ફેસલ કરવાનો નહીં : બોમ્બે હાઇકોર્ટ 

ત્યારે બોમ્બે હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું છે કે, લોક અદાલત એટલે બંને પક્ષે સુખદ સમાધાન થકી કેસનો નિકાલ થાય તેવું માધ્યમ છે નહીં કે, કોઈ નિર્ણય લેવા માટેની વ્યવસ્થા. હાઇકોર્ટે વધુમાં કહ્યું છે કે, લોક અદાલતનો ઉદ્દેશ્ય સમાધાનનો ચોક્કસ હોવો જોઈએ પરંતુ ફક્ત કેસ ફેસલ કરવા માટે સમાધાન કરવા ફરજ પાડી શકાતી નથી.
બોમ્બે હાઈકોર્ટે લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ, ૧૯૮૭ અને ઈલેક્ટ્રિસિટી એક્ટ, ૨૦૦૩ ના ઇન્ટરપ્લેને સમજાવ્યું છે.  કોર્ટે કહ્યું છે કે, જ્યાં કાયમી લોક અદાલત સમક્ષ રજૂ થયેલ વિવાદ સમાધાનપાત્ર ગુનો ગણી શકાય, ત્યાં લોક અદાલત તેને સમાધાન અને સમાધાનના હેતુ માટે ધ્યાનમાં લઈ શકે છે જો કે, સમાધાન નિષ્ફળ જાય અને કેસ ગુના સાથે સંબંધિત હોય તે લોકઅદાલતના અધિકારક્ષેત્રમાં આવતી નથી, પછી ભલે ગુનો કમ્પાઉન્ડેબલ હોય કે નહીં.
આ પ્રશ્ન ઇલેક્ટ્રિસિટી એક્ટ, ૨૦૦૩ ની કલમ ૧૩૫ હેઠળ વીજળીની ચોરીના ગુના સંબંધિત કેસમાં સામે આવ્યો હતો.  અપીલકર્તા- વિદ્યુત બોર્ડે કલમ ૧૩૫ હેઠળ પ્રતિવાદી સામે કેસ નોંધ્યો હતો, તેનું હાલનું મીટર જપ્ત કર્યું હતું અને તેનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું બોર્ડ જ જારી કરેલા બિલની ચૂકવણી બાકી હોવાથી આ કાર્યવાહી કરવામાં આઈ હતી. ત્યારે લોક અદાલત, ઔરંગાબાદે તેના ચુકાદામાં અરજદારને પ્રતિવાદીને નિયમિત બિલ જારી કરવા અને તેનો વીજ પુરવઠો ન કાપી નાખવાનો નિર્દેશ આપ્યો હતો.  નોંધનીય છે કે, કાયમી લોક અદાલતે એવું માન્યું હતું કે, પ્રતિવાદીને આપવામાં આવેલ વીજ બિલ ગેરકાયદેસર છે અને તે અસર માટે એવોર્ડ પસાર કરવા તે તેના અધિકારક્ષેત્રમાં નથી.
અરજદાર વીજળી બોર્ડે અયોગ્ય હુકમ સામે અપીલ કરી હતી અને દલીલ કરી હતી કે, લોક અદાલતે તેની સહજ સત્તાઓ વટાવી હતી. એવી દલીલ કરવામાં આવી હતી કે ૧૯૮૭ના અધિનિયમની કલમ ૨૨(સી)(૮) ને ધ્યાનમાં રાખીને જ્યાં પક્ષકારો પેટા-કલમ (૭) હેઠળ કરાર સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે ત્યારે લોક અદાલત જો વિવાદ કોઈ ગુના સાથે સંબંધિત ન હોય તો જ પગલું લઈ શકે છે. અપીલકર્તાઓએ એવી પણ દલીલ કરી હતી કે લાઇસન્સધારક નિયત રકમ જમા કરાવ્યા પછી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી શકે છે.  તેનાથી વિપરીત પ્રતિવાદીએ દલીલ કરી હતી કે ૧૯૮૭ના અધિનિયમની કલમ ૨૨(સી)(૧) કાયમી લોકઅદાલતને કાયદામાં સંલગ્ન ન હોય તેવા ગુનાને લગતા કેસના નિકાલ માટે અધિકારક્ષેત્ર આપે છે.
કાયમી લોક અદાલત પાસે હાલના પ્રકારના વિવાદનો ઉકેલ લાવવાની સત્તા છે કે કેમ તે પ્રશ્નના જવાબમાં- જ્યાં અરજદાર પર વીજળીની ચોરીનો આરોપ છે અને ૨૦૦૩ના અધિનિયમની જોગવાઈઓ હેઠળ તેની સામે કાર્યવાહી થઈ શકે છે. ન્યાયાધીશ ભારતી ડાંગરે દ્વારા લખાયેલ ચુકાદાએ કલમ ૨૨ (સી) લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટનો ઉપયોગ કરીને કહ્યું હતું કે,  લોક અદાલત કમ્પાઉન્ડેબલ ગુનાઓને લગતી બાબતોના સંદર્ભમાં અધિકારક્ષેત્રનો ઉપયોગ કરી શકે છે.
કોર્ટે કહ્યું, કલમ ૨૨(સી) લોક અદાલતના અધિકારક્ષેત્રને નિર્ધારિત કરે છે કે લોક અદાલત કોઈ કાયદાને આધીન ન હોય તેવા ગુનાને લગતી કોઈપણ બાબતના સંબંધમાં અધિકારક્ષેત્રનો ઉપયોગ કરશે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, જો એટલું જ મહત્વનું છે કે લોક અદાલત માટે નિર્ણાયક સત્તાની ભૂમિકા ગ્રહણ કરતા પહેલા સમાધાનની કાર્યવાહી શરૂ કરવાનો પ્રયાસ કરવો ફરજિયાત છે.  કોર્ટે નોંધ્યું હતું કે, જ્યારે પક્ષકારો સમાધાનના પ્રયાસો પર કોઈ કરાર સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે અને જો વિવાદ કોઈપણ ગુના સાથે સંબંધિત નથી તો લોક અદાલત વિવાદનો નિર્ણય કરવા માટે આગળ વધશે. હાલના કેસના સંદર્ભમાં કલમ ૨૨(સી) નું મહત્વ સમજાવ્યા પછી કોર્ટે નોંધ્યું કે, વિદ્યુત અધિનિયમની કલમ ૧૩૫ હેઠળના ગુનાઓ કમ્પાઉન્ડેબલ છે અને આમ જે ગુનાઓ જટિલ છે તેના સંદર્ભમાં અરજી પર લોક અદાલતમાં વિચારણા કરવાનો અધિકારક્ષેત્ર છે.  કોર્ટે જણાવ્યું હતું કે, આ બાબતે સમાધાન માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હોવાથી લોક અદાલતને વિવાદ પર ચુકાદો આપવાની કોઈ સત્તા નથી કારણ કે તે “ગુના” થી સંબંધિત છે.
ન્યાયમાં સતત વિલંબને લીધે ચેક રિટર્નના કેસોમાં અનેક અરજદારો નાછૂટકે સમાધાન કરવા મજબૂર !!
ચેક રિટર્ન કેસમાં સેટલ લો હોવા છતાં કેસનો નિકાલ કરવામાં ખૂબ વિલંબ થતો હોય છે. જે કેસની સુનાવણી ગણતરીની કલાકોમાં પૂર્ણ થઈ જવી જોઈએ તેવા કેસોમાં પણ તારીખો પડ્યા કરે છે. આઈપીસીની કલમ ૧૩૮(ચેક રિટર્ન) કેસમાં સતત તારીખ પે તારીખ પડયા કરે છે અને જ્યારે અરજદાર કોર્ટ-કચેરીના ધક્કા ખાઈને કંટાળી જાય ત્યારે આ કેસોને લોક અદાલતના હવાલે કરી દેવામાં આવે છે. ધક્કા ખાઈ ખાઈને અરજદાર પણ અંતે સમાધાન કરવા મજબૂર થઈ જતો હોય છે અને લોક અદાલત થકી કેસ ફેસલ કરી નાખવામાં આવે છે. અમુક કિસ્સાઓમાં તો અરજદારની ધ્યાન બાર જ લોક અદાલતમાં કેસ મૂકીને કેસ ફેસલ કરી નાખવામાં આવે છે તેવી ફરિયાદો પણ ઉઠતી હોય છે. ખરેખર લોક અદાલત એટલે બે પક્ષો વચ્ચે થયેલી ગેરસમજણો દૂર કરીને સુખદ સમાધાન કરાવવા માટેની એક વ્યવસ્થા છે.
સુખદ સમાધાન થાય તો જ કેસ ફેસલ થઈ શકે: હાઇકોર્ટ 
બોમ્બે હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું છે કે, લોક અદાલત એટલે બંને પક્ષે સુખદ સમાધાન થકી કેસનો નિકાલ થાય તેવું માધ્યમ છે નહીં કે, કોઈ નિર્ણય લેવા માટેની વ્યવસ્થા. હાઇકોર્ટે વધુમાં કહ્યું છે કે, લોક અદાલતનો ઉદ્દેશ્ય સમાધાનનો ચોક્કસ હોવો જોઈએ પરંતુ ફક્ત કેસ ફેસલ કરવા માટે સમાધાન કરવા ફરજ પાડી શકાતી નથી.
કેસ બારોબાર ફેસલ થઈ જતા હોવાની અનેક અરજદારોની રાવ 
લોક અદાલત થકી સમાધાનને પાત્ર કેસો કે જેમાં બંને પક્ષે ફક્ત ગેરસમજણ થઈ હોવાથી વિવાદ ઉભો થયો હોય તેવા જ કેસોમાં લોક અદાલતમાં સમાધાનનો પ્રયત્ન કરી શકે છે. ત્યારે અનેક અરજદારોની અવાર નવાર એવી પણ ફરિયાદ ઉઠતી હોય છે કે, તેમને જાણ કર્યા બહાર જ કેસનું સમાધાન કરીને કેસ ફેસલ કરી દેવામાં આવે છે જેથી ન્યાય ઝંખતા અરજદારોના હાથમાં ધક્કા સિવાય કશું જ આવતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.