Abtak Media Google News

ચા બનાવતી વેળાએ સાડીનો છેડો આગની જવાળામાં આવી જતા મહિલાના મોતથી પરીવારમાં શોક

ધ્રોલના માણેકપરા ગામમાં રહેતા વૃદ્ધાનું ગત ૨૧મીના રોજ દાઝી જવાથી હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજયું હતું. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલના માણેકપરા ગામમાં રહેતા ઉજીબેન ધનજીભાઈ સાપરીયા નામના ૭૦ વર્ષીય વૃદ્ધાનું ગત તા.૨૧મીના રોજ સવારે ચા બનાવતી વેળાએ સાડીનો છેડો આગની લપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી જવાથી ધ્રોલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન વૃદ્ધાએ દમ તોડતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.