મોરબી જીલ્લામાં વરસાદ ખેંચાયો છે અને હજુ વરસાદ થયો નથી જેથી ખેડૂતો વાવેતર કરી શક્યા ના હોય જેને ધ્યાને લઈને રાજ્ય સરકારના કૃષિ મંત્રીને પત્ર પાઠવીને કુત્રિમ વરસાદ પ્રયોગ કરવાની માંગ કરાઈ છે. મોરબીના સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ રાજ્યના કૃષિ મંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે હાલ ચોમાસાની ઋતુ ચાલે છે અને સૌરાષ્ટ્રના ઘણા જીલ્લામાં હજુ વરસાદ થયો નથી ખેડૂતો પોતાના પાકોનું વાવેતર કરવા માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે હાલમાં વાદળછાયું વાતાવરણ રહે છે અને વરસાદ નથી થતો ત્યારે વાદળછાયા વાતાવરણમાં જો કુત્રિમ વરસાદ પ્રયોગ દ્વારા વરસાદ વરસાવવામાં આવે તો જગતનો તાત તેના પાકોનું સમયસર વાવેતર કરી સકે છે પછી વાતાવરણ બદલી જતા કુત્રિમ વરસાદ માટે સંજોગો રહેશે નહિ અને વાવેતર માટે પણ યોગ્ય સમય નહિ હોય. હાલમાં બંને રીતે કુત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જરૂરી છે કારણકે વાવેતરનો યોગ સમય છે અને વાતાવરણમાં ભેજ વાળા વાદળો પણ છે તો આ તકનો લાભ લઈને જો કુત્રિમ વરસાદ પ્રયોગ કરવામાં આવે તો જગતના તાત માટે સોનાનો વરસાદ સમાન આ વરસાદ થશે જેથી આ મામલે વહેલાસર યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી છે.
Trending
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા
- દુબઈમાં ફરી વરસાદે માજા મુકી: જનજીવનને અસર, અનેક ફ્લાઇટ્સ રદ
- તમારો ટ્રેક રેકોર્ડ તમામ બાબતોમાં ખરાબ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાક.ને ખખડાવ્યુ
- આર્થિક સંકડામણ ભોગવતું બાયજુ તેના કર્મચારીઓને સાપ્તાહિક રકમ ચૂકવશે