Abtak Media Google News

અગ્રણીઓના હસ્તે મહાઆરતી ઉતારી હાસ્ય કલાકાર સંજય જોષીનો હસાયરો

રાજકોટ કા મહારાજા ડો. યાજ્ઞીક રોડ ખાતે આજરોજ બીજા દિવસની આરતીમાં શહેરના બ્રહ્મશ્રેષ્ઠીઓ તથા ભકતજનો દ્વારા ભાવપૂર્વક આરતી ઉતારવામાં આવી હતી. તદુપરાંત જયભાઈ શાસ્ત્રી દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતુ ગીત સંગીત ધુપ દીપ સાથે કષ્ટભંજન દેવના પાઠમાં શહેરના ધર્મપ્રેમી ભકતો શ્રધ્ધાપૂર્વક ઉપસ્થિત રહી કષ્ટભંજન દેવની આરાધના તથા દુદાળા દેવના આશીર્વાદ મેળવ્યા હતા. રાજકોટ કા મહારાજા ખાતે આજરોજ રાત્રે ૮ વાગ્યે ખ્યાતનામ હાસ્ય કલાકાર સંજયભાઈ જોષી શ્રોતાઓને હાસ્યરસ પીરસશે. બીજા દિવસની મહાઆરતીમાં બ્રહ્મસમાજ, ક્ષત્રીય સમાજ, લોહાણા સમાજ, જૈન વણીક સમાજ તેમજ વિવિધ સંસ્થાઓનાં પ્રમુખો તથા હોદેદરો ઉપસ્થિત રહ્યા હતા. મહાઆરતીના સમાપનબાદ શાસ્ત્રીજી દ્વારા પુજાવિધિ સંપન્ન કરાવી હતી. નિત્યક્રમ મુજબ, શહેરીજનો, ભકતજનો રાત્રે મોડે સુધી રાજકોટ કા મહારાજા ગણેશજીના દર્શનનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.